રાજકોટમાં BAPS સ્વામીનારાયણ મંદિરમાં સભા રાખવાનું ભાજપને ભારે પડ્યું

PC: Khabarchhe.com

રાજકોટમાં BAPS સ્વામીનારાયણ મંદિરમાં સભા રાખવાનું ભાજપને ભારે પડી ગયું છે. લોકસભા 2024ની ચૂંટણી પહેલાં ભાજપે સભા કરી હતી હવે ચૂંટણી પંચે રાજકોટ કલેકટરને તપાસ કરવા માટે આદેશ કર્યો છે.

લોકસભા 2024ની ચૂંટણી પહેલા રાજકોટના કાલાવડ રોડ પર આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરના સત્સંગ હોલમાં ભાજપના ઉમેદવાર અને આગેવાનોએ બેઠક કરી હતી. તે વખતે કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. પરંતુ જિલ્લા વહીવટી તંત્રએ રિપોર્ટ સબમીટ કરી દીધો હતો અને ભાજપના નેતાનું નિવેદન નોંધ્યું હતું કે બેઠક મંદિરના પાછળના ભાગમાં સભા ગૃહમાં મીટિંગ કરી હતી. પરંતુ મીડિયામાં પુરાવા સાથે અહેવાલો છપાતા આખરે ચૂંટણી પંચે કલેક્ટરને તપાસનો આદેશ કર્યો છે. ભાજપ વાળા અત્યારે ભેરવાઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp