કુંવરજી બાવળીયા વિશે શું કહ્યું કોળી સમાજના આગેવાન હીરા સોલંકીએ?

PC: facebook.com/Hirabhaisolanki.official

જસદણની પેટા ચૂંટણીને લઈને કોળી સમાજના આગેવાન હીરા સોલંકીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે, 'હું બે-ત્રણ દિવસથી અહીં પ્રવાસમાં છું. ગઈ કાલે વીંછીયા તાલુકાના ગામડાઓમાં હતો. અમે દરેક ગામડાઓમાં જોયું છે કે, લોકોનો પ્રેમ ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા સાથે અને ભારતીય જનતા પાર્ટી સાથે છે. હું માનું છું કે બહુ સારી લીડથી આ સીટ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવશે. કુંવરજી બાવળીયા અમારા સમાજનું એક માથું છે. કુંવરજી બાવળીયા એમનું કામ કરે અને અમે અમારું કામ કરીએ છીએ. કુંવરજી બાવળીયા પણ સમાજનું કામ કરે છે અને અમે પણ સમાજનું કામ કરી રહ્યા છીએ.'

જસદણમાં સોલંકી સમાજની નારાજગી બાબતે વાત કરતા હીરા સોલંકીએ જણાવ્યું છે કે, 'કુંવરજી બાવળીયા અમારા સમાજમાં ખૂબ સારું પ્રભુત્વ ધરાવે છે જેના કારણે પાર્ટીએ સારો નિર્ણય લીધો છે. કુંવરજી બાવળીયા પર કોંગ્રેસવાળા સતત અન્યાય કરતા હતા એના કારણે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોટા ભાઈ ભેલે હમણાં બીમાર હોય પણ પુરુષોત્તમ સોલંકીનું સ્થાન કોઈ ન લઈ શકે. અમે સોલંકી ભાઈઓ ભાજપ સાથે છીએ, ભાજપ સાથે રહેશું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp