સુરતની સ્થિતિ માટે કોણ જવાબદાર?

PC: divyabhaskar.co.in

સુરતમાં છેલ્લાં 4 દિવસથી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે અને બીજી તરફ ખાડી પૂરને કારણે લોકોની હાલત વધારે ખરાબ થઇ છે. ખાસ કરીને લિંબાયત, પરવત પાટીયા, સીમાડા, પુણાગામ, સણિયા હેમાદ, કુંભારીયા ગામ પૂરના પાણી ફરી વળ્યા છે. અત્યારે બીજની ભરતીને કારણે દરિયો પાણી લેતું નથી ત્યારે આ ખાડીના પાણી ફરી વળ્યા છે.

સુરત મહાનગર પાલિકાના કમિશ્નર, અધિકારીઓ, નેતાઓ અત્યારે બધા ખાડી પૂરનું સંકટ દુર કરવા માટે કામે લાગ્યા છે. પણ સવાલ એ છે કે, ખાડીપૂરની આવી હાલત માટે જવાબદાર કોણ?

આના માટે કોર્પોરેશન અને લોકો બંને જવાબદાર છે. ખાડી વિસ્તારોમાં જે ગેરકાયદે બાંધકામો થયા તે દુર કરવાની જરૂર હતી, કરાણકે આડેધડ બાંધકામને કારણે પાણીને જવા માટેની જગ્યા સાંકળી થઇ ગઇ. લોકો એ રીતે જવાબદાર છે કે પાલિકાની અનેક વિંનતી પછી પણ લોકો બીજે સ્થળાંતર કરતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp