પિતા બન્યા પછી વિરાટ ઘરમાં આ વસ્તુઓ રાખવા માગતો નથી
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડી લગ્ન પછી પણ તેના ફેન્સમાં ચર્ચાનું સ્થાન બની રહે છે. થોડા દિવસો પહેલા વિરાટે અનુષ્કાને ઓફ ફીલ્ડ કેપ્ટન કહી હતી. તેણે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, અનુષ્કાના તેની લાઈફમાં આવ્યા પછી ઘણા સકારાત્મક બદલાવ થયા છે. તેણે પહેલી વખતે તેની ફેમિલી પ્લાનિંગ પર ચર્ચા કરી હતી.
Happy B'day my love. The most positive and honest person I know. Love you ♥️
A post shared by Virat Kohli (@virat.kohli) on
એક ઈન્ટરવ્યુંમાં કોહલીએ કહ્યું હતું કે, અનુષ્કા ઘણી ધાર્મિક છે. તેની સાથે રહીને હું પણ મારી અંદર આવેલા બદલાવને મહેસૂસ કરૂ શકું છું. હું પહેલા કરતા વધારે શાંત થઈ ગયો છું. મને ખબર છે તે આજે હું જ્યાં છું તે બધી વસ્તુઓ લાઈફમાં મારી સાથે રહેવાની નથી. મારો પરિવાર હંમેશાં મારા સમય માટેનો પહેલો હકદાર છે.
A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on
કોહલીએ વધુમાં કહ્યું હતું કે, હું હંમેશા ઈચ્છુ છું કે મારા છોકરાઓ જ્યારે મોટા થાય તો હું ઘણી બધી વસ્તુઓ બદલી નાખું. હું નથી ઈચ્છતો કે જ્યારે મારા બાળકો મોટા થાય તો મારા ઘરમાં મારી ઉપલબ્ધિઓ સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુઓને જોય. મને મળેલી અત્યાર સુધીની કોઈ પણ ટ્રોફી તે દરમિયાન મારા ઘરમાં હાજર હોય. મારા કરિયરને ફ્લેશ કરતી દરેક વસ્તુ હટાવી દેવા માગું છું.
તેના પહેલા ઘણી વખત કોહલીએ અનુષ્કાના ક્રિકેટમાં રસને લઈને ખુશી જાહેર કરી છે. વિરાટે કહ્યું હતું કે, તે દેશમાં હોય કે બહાર હોય મેચ જરૂર જોય છે. અનુષ્કા મેદાનમાં પ્લેયર્સની ભાવનાઓને સારી રીતે સમજે છે.
જ્યારે વિરાટને પૂછવામાં આવ્યું કે ઓફ ફીલ્ડ કેપ્ટન કોણ છે તો થોડી વાર ચૂપ રહ્યા પછી વિરાટ બોલ્યો હતો કે, અનુષ્કા. તે હંમેશાં સકારાત્મક વિચારે છે. તેના લીધેલા નિર્ણય સાચા હોય છે. માટે મારી ઓફ ફીલ્ડ કેપ્ટન અનુષ્કા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp