આગામી સપ્તાહમાં શેરબજાર કેવું રહેશે? રિલાયન્સની AGM પર નજર

PC: tradebrains.in

આગામી સપ્તાહમાં શેરબજાર કેવું રહેશે તે વાત નિષ્ણાતો પાસેથી જાણવા મળી છે. સોમવારથી શુક્રવાર સુધી બજારમાં તેજી રહેવાના સંકેત છે. સોમવારે જન્માષ્ટમીના દિવસે શેરબજાર ચાલુ રહેશે.

આગામી સપ્તાહમાં બજાર વધે તેવા 5 કારણો છે. એક કારણ એ છે કે 30 ઓગસ્ટે જૂન મહિનામાં પુરા થયેલા ત્રિમાસિક ગાળાના GDP ગ્રોથના આંકડા જાહેર થવાના છે જે પ્રોત્સાહક હોવાની ધારણા છે. અમેરિકાના ગ્રોથના આંકડા પણ સારા રહેવાની સંભાવના છે. ભારતમાં આ વખતે મોનસૂન ઘણું સારુ રહ્યું છે, કંપનીઓના નફા વધી રહ્યા છે અને 29 ઓગસ્ટે રિલાયન્સની વાર્ષિક સાધારણ સભામાં કોઇ મોટી જાહેરાત થવાની સંભાવના છે. આ બધા પ્રોત્સાહક કારણોને લીધે શેરબજારમાં તેજી રહેવાની સંભાવના છે. જો કે, રોકાણકારોએ શેરબજારમાં રોકાણ કરતી વખતે તેમના સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp