કાશ્મીર મુદ્દે ટ્રમ્પે કરી મધ્યસ્થીની ઓફર, ભારત સરકારે આપ્યો આ જવાબ
પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન સાથેની બેઠક દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આઘાતજનક નિવેદન આપ્યું હતું. સોમવારે બંને નેતાઓની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે પીએમ મોદી બે અઠવાડિયા પહેલા તેમની સાથે હતા અને તેમણે કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થીની ઓફર કરી હતી. જોકે વિદેશી બાબતોના મંત્રાલયે ટ્રમ્પના દાવાને ફગાવી દીધો છે. મંત્રાલયના જણાવ્યા મુજબ બંને વચ્ચે એવી કોઈ વાત નહોતી થઇ .
ઇમરાને કહ્યું, સૌથી શક્તિશાળી દેશ હોવાથી મેં કાશ્મીર મુદ્દા પર ટ્રમ્પને મધ્યસ્થિ કરવા વાત કરી છે. આ મુદ્દો લગભગ 70 વર્ષ ચાલી રહ્યો છે. જો કે, વ્હાઈટ હાઉસે ફક્ત કાશ્મીરનો ઉલ્લેખ કરતાં, ટ્રમ્પ અને ઇમરાનની મીટિંગ અંગે પ્રેસ રિલીઝ જારી કર્યો હતો.
ટ્રમ્પે કહ્યું - હું બે અઠવાડિયા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હતો. આ મુદ્દા પર અમારી ચર્ચા થઇ. તેઓએ મને પૂછ્યું કે શું તમે આ મુદ્દા પર મધ્યસ્થી કરવા માંગો છો. મેં પૂછ્યું - ક્યાં? તેમણે કહ્યું કે કાશ્મીર. મને આશ્ચર્ય થયું કે આ મુદ્દો લાંબા સમય સુધી ચાલી રહ્યો છે. મને લાગે છે કે તેઓ સોલ્યુશન માગી રહ્યા છે, તમને ઉકેલ જોઈએ છે તો હું મદદ કરી શકું અને મધ્યસ્થી કરવામાં મને આનંદ થશે. બે ખૂબ જ તેજસ્વી દેશો, જેમની પાસે ખૂબ જ સારું નેતૃત્વ છે, તેઓ ઘણા વર્ષોથી આ મુદ્દાને હલ કરી શક્યા નથી. જો તમે મને મધ્યસ્થી કરવા માંગો છો, તો હું તે કરીશ.
We have seen @POTUS's remarks to the press that he is ready to mediate, if requested by India & Pakistan, on Kashmir issue. No such request has been made by PM @narendramodi to US President. It has been India's consistent position...1/2
— Raveesh Kumar (@MEAIndia) July 22, 2019
...that all outstanding issues with Pakistan are discussed only bilaterally. Any engagement with Pakistan would require an end to cross border terrorism. The Shimla Agreement & the Lahore Declaration provide the basis to resolve all issues between India & Pakistan bilaterally.2/2
— Raveesh Kumar (@MEAIndia) July 22, 2019
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું હતું કે, અમે જોયું છે કે યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તે કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થી કરવા માટે તૈયાર છે, જો ભારત અને પાકિસ્તાન દ્વારા આ પ્રકારની ઓફર કરવામાં આવે. પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વતી અમેરિકાના રાષ્ટ્રપતિએ આ પ્રકારની કોઈ વાત કરી નથી. ભારત તેના નિર્ણય પર અડગ છે. પાકિસ્તાન સાથેની તમામ સમસ્યાઓ માત્ર દ્વિપક્ષીય વાટાઘાટ દ્વારા જ ઉકેલી શકાશે. પાકિસ્તાન સાથેની કોઈપણ પ્રકારની સંવાદ માટે, સરહદની ત્રાસવાદને બંધ કરવું જરૂરી છે.
I honestly don't think Trump has the slightest idea of what he's talking about. He has either not been briefed or not understood what Modi was saying or what India's position is on 3rd-party mediation. That said, MEA should clarify that Delhi has never sought his intercession. https://t.co/DxRpNu6vw2
— Shashi Tharoor (@ShashiTharoor) July 22, 2019
કૉંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું, મને ખરેખર નથી લાગતું કે ટ્રમ્પને તેના વિશે શું કહેવામાં આવે છે તે અંગેનો કોઈ ખ્યાલ છે. ક્યાં તો તેઓએ આ બાબતે કોઈ માહિતી આપી નથી અથવા મોદી શું કહે છે તે સમજી શક્યા નથી અથવા ભારતના ત્રીજા પક્ષની મધ્યસ્થીનું વલણ શું છે. વિદેશ મંત્રાલયે આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ કે દિલ્હીએ આવી કોઈ આર્બિટ્રેશન વિશે ક્યારેય વાત કરી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp