
પદ્માવતને લઇને જે હલ્લાબોલ થઇ રહ્યો છે તે શું યોગ્ય છે? માફ કરજો પણ હું ફિલ્મની તરફમાં વાત નથી કરતી કે કોઇ સમાજની વિરુદ્દમાં વાત નથી કરતી. પરંતુ વાત અહીં વિરોધ પ્રદર્શનની છે જે રીતે અહીં વિરોધ નોંધાવવામાં આવે છે તે કેટલો યોગ્ય છે! શું આ રીતે સુરાજ્ય બની શકશે? કદાચ ના આપણે જ આપણા પગ પર કુહાડી મારીએ છીએ તેવું થઇ રહ્યુ છે. અત્યારે આ વાત એટલા માટે કરવી રહી કે હું હંમેશાં Khabarchhe.comના માધ્યમથી વાત કરું છું ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.