સરદાર બ્રાન્ડને લાગી રહ્યુ છે લાંછન - Ep. 34

આ જ કોંગ્રેસે ગુજરાતના સપૂત લોખંડી પુરુષ સરદારને દેશની નેતાગીરીથી વંચિત રાખ્યા અને પાકિસ્તાન પેદા કર્યુ, એ કેમ ભૂલાય? આ દેશને એક તાંતણે બાંધનાર સરદાર પટેલને પોતાની બ્રાન્ડ બનાવીને ગુજરાતની એકતાને વિખુટુ ન પડાય.. અને જ્ઞાતિવાદ ઊભો ન કરાય. તે ગુજરાતના મતદારો સમજે. બંધારણે આપેલો મતાધિકાર દરેકની પોતાની જાગીર છે અને તેનો સદ્દઉપયોગ થાય દૂરઉપયોગ નહી. આ દેશના સંસ્કારમાં વસુદેવ કુટુંબક્મ ની ભાવનાને ગુજરાતના પાટીદારો સમજે અને ચૂંટણીના સમયે એકતાના દર્શન કરાવે નહીં કે સરદાર બ્રાન્ડને લાંછન લગાવે. સમજદારીથી મતદાન કરજો અને કરાવજો. આપણી લોકશાહીને લાંછન ન લાગે તે પણ જોજો.. ખબર છે ડોટ કોમ પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.