નેતાઓએ તહેવારોને લઇને રાજરમત તો ન જ કરવી જોઇએ - Ep. 87

હવે, તો આ રાજકારણીઓ પણ હદ્દ કરે છે..તહેવારોમાં પણ રાજકારણ નાખી દે છે. અગાઉ પણ આવું ઘણી વાર થયુ છે. શુભેચ્છા પાઠવવાની હોય કે પછી પત્રિકામાં નામ લખાવવાનું હોય આ રાજકારણીઓને બધામાં મોટા થવું છે. હાલ તાજેતરમાં જ મોડાસાના આંતરરાષ્ટ્રિય કાઇટ ફેસ્ટીવલમાં ભરપૂર રાજકારણ જોવા મળ્યુ. બીજીતરફ સુરતમાં પણ ઉજવાયેલા કાઇટ ફેસ્ટીવલમાં ભાજપના કોર્પોરેટરોએ કોંગ્રેસના કોર્પોરેટરનું પત્તુ કાપી નાખ્યુ હતુ.અમદાવાદનો ફેસ્ટ તો જગજાહેર છે. ત્યારે આ નેતાઓએ આ તહેવારના રંગમાં ભંગ ન પાડવો જોઇએ. આપણે પણ આપણી મજામાં પક્ષીઓના વિહારમાં ભંગ ન પાડવો જોઇએ. તેથી સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા પછી પતંગો ઉડાડવા નહીં અને ચાઇનીઝ માંજાનો અને તુક્કલનો બહિષ્કાર કરવો. સાથે જ જોતા રહેજો વાંચતા રહેજો Khabarchhe.com કે જ્યાં વાત થાય છે ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.