આપણે ગુલામીમાંથી બહાર આવવું જોઇએ - Ep. 80

ભીમા કોરેગાંવ ની 200મી વર્ષગાંઠ હતી. આ વર્ષગાંઠમાં ન બનવા જેવું બની ગયું. બસો વર્ષ પહેલાં લડાયેલી લડાઇની પ્રતિકૃતિ આજે છતી થઇ છે. શું કામ.. શું આપણે હજુ પણ ગુલામીમાં જીવીએ છીએ.. અંગ્રેજોની ગુલામી નહી.. ગુલામી જ્ઞાતિ-જાતિવાદની ગુલામી. વર્ષો પહેલા દેશ આઝાદ થયો છે પરંતુ આપણી માનસિકતા આઝાદ નથી થઇ. એવું લાગી રહ્યુ છે કે આજના યુવાનોને કામ ધંધો કરવા કરતા તો આ રીતે શક્તિપ્રદર્શન કરવું વધારે પસંદ છે. ગુજરાતે ગાંધી આપ્યા છે તો ગાંધી ચીંધ્યા માર્ગે ચાલીને પોતાની વાત રજૂ કરવી જોઇએ હિંસા શું કામ? આવું તો ન જ થવું જોઇએ,  Khabarchhe.com અહીં આપને વિનંતી કરી રહ્યુ છે કે શાંતિ રાખો અને ઉશ્કેરીણી માં ન આવો. વાત ગુજરાતની થાય છે એટલે વારંવાર કહું છું કે ગુજરાતનું અહિં અહિત થઇ રહ્યુ છે, જે ન થવું જોઇએ. ગુજરાત ગુણિયલ છે અને રહેશે. ગુણિયલ ગુજરાતની જય હો

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.