BSNL એ ખાનગી કંપનીઓનું વધાર્યું ટેન્શન, એક રિચાર્જમાં 3 લોકોનું ચાલશે કનેક્શન

રિચાર્જ પ્લાનને લઈને Jio, Airtel, VI અને BSNL વચ્ચે જોરદાર કોમ્પિટીશન ચાલી રહી છે. બધી ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવા નવા રિચાર્જ પ્લાન રજૂ કરી રહી છે. ખાનગી કંપનીઓને ટક્કર મારવા માટે, હવે સરકારી ટેલિકોમ કંપની BSNL અત્યાર સુધીની સૌથી મોટી ધમાકેદાર ઓફર લઈને આવી છે. BSNL એ એક એવો પ્લાન રજૂ કર્યો છે જેમાં ફક્ત એક પ્લાનમાં 3 કનેક્શન આપવામાં આવી રહ્યા છે.

BSNL
businesstoday.in

આ યુઝર્સ માટે આવ્યો છે એક નવો પ્લાન

છેલ્લા કેટલાક સમયથી, BSNL ટેલિકોમ ઉદ્યોગમાં જોરદાર ચર્ચામાં છે. આ પાછળનું એક મોટું કારણ કંપનીના સસ્તા રિચાર્જ પ્લાન પણ છે. BSNL પાસે તેના પ્રીપેડ અને પોસ્ટપેડ બંને યુઝર્સ માટે ઘણા શાનદાર પ્લાન છે. જોકે, હવે BSNL એ એક મજબૂત પ્લાન રજૂ કર્યો છે જે રિચાર્જનો વધારાનો ખર્ચ બચાવશે.

BSNL દ્વારા આ અદ્ભુત યોજના વિશે માહિતીની જાણકારી  તેના સત્તાવાર X એકાઉન્ટમાંથી એક પોસ્ટ દ્વારા આપવામાં આવી છે. તમે આ પ્લાન કંપનીની સત્તાવાર વેબસાઇટ અથવા BSNL સેલ્ફ કેર એપ દ્વારા મેળવી શકો છો. ચાલો તમને તેના વિશે જણાવીએ.

BSNL ના નવા પ્લાને મચાવી દીધો હંગામો

BSNL એ તેના પોસ્ટપેડ યુઝર્સ માટે 999 રૂપિયાનો નવો પ્લાન રજૂ કર્યો છે. આ કંપનીનો ફેમિલી પ્લાન છે. આ પ્લાનની સૌથી મોટી ખાસ વાત એ છે કે ફક્ત એક જ વ્યક્તિએ રિચાર્જ કરાવવું પડશે અને 3 લોકોના નંબર ઉમેરી શકાય છે. મતલબ કે, હવે એક વ્યક્તિના ખર્ચે ત્રણ લોકોના નંબર ચાલી શકે છે. પરિવારના અલગ અલગ સભ્યો માટે વ્યક્તિગત પ્લાન લેવાની જરૂર રહેશે નહીં.

BSNL
informalnewz.com

BSNL ના આ 999 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને મળતા ફાયદાઓ વિશે વાત કરીએ તો, કંપની પ્રાઈમરી યુઝર્સ તેમજ અન્ય કનેક્શન ધરાવતા ગ્રાહકોને અનલિમિટેડ ફ્રી કોલિંગ ઓફર કરી રહી છે. આ સાથે, બધા યુઝર્સને 75GB ડેટા મળશે. મતલબ કે પ્લાનમાં કુલ 300GB ડેટા ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, કંપની બધા યુઝર્સને દરરોજ 100 મફત SMS પણ ઓફર કરે છે.

Related Posts

Top News

અંબાણીને 1 લાખ કરોડનું નુકસાન છતા નંબર 1 ધનિક, અદાણીને 1 લાખ કરોડનો ફાયદો છતા...

ગયા વર્ષે 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવા છતાં, મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ રહ્યા છે. મીડિયા...
Business 
અંબાણીને 1 લાખ કરોડનું નુકસાન છતા નંબર 1 ધનિક, અદાણીને 1 લાખ કરોડનો ફાયદો છતા...

સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Seriesનું ગુજરાતમાં વેચાણ શરૂ

અમદાવાદ, 28 માર્ચ: OPPO Gujarat દ્વારા અત્યંત અપેક્ષિત OPPO F29 સિરીઝનું ગ્રાન્ડ લોન્ચિંગ કરાયું છે, જેમાં OPPO F29 અને OPPO...
Tech & Auto 
સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Seriesનું ગુજરાતમાં વેચાણ શરૂ

ટ્રમ્પે ઇફ્તાર પાર્ટી આપી, પણ અમેરિકાના મુસ્લિમો કેમ ગુસ્સે થયા

મુસ્લિમો માટે સૌથી પવિત્ર મહિનો રમઝાન સમાપ્ત થવાનો છે, અને આવી સ્થિતિમાં દેશ અને દુનિયાભરમાં ઇફ્તાર પાર્ટીઓનું આયોજન કરવામાં...
World 
ટ્રમ્પે ઇફ્તાર પાર્ટી આપી, પણ અમેરિકાના મુસ્લિમો કેમ ગુસ્સે થયા

દિલ્હી હજ કમિટીએ કરી વક્ફ બિલનું સમર્થન, કહ્યું- પહેલા બિલ વાંચો પછી વિરોધ કરો

દિલ્હી હજ કમિટીના અધ્યક્ષ કૌસર જહાંએ ડીડી ન્યૂઝ સાથેની એક ખાસ વાતચીતમાં વક્ફ સંશોધન વિધેયકની જરૂરિયાત અને અનિવાર્યતા પર પોતાના...
National 
દિલ્હી હજ કમિટીએ કરી વક્ફ બિલનું સમર્થન, કહ્યું- પહેલા બિલ વાંચો પછી વિરોધ કરો

Opinion

બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા
બળવંતરાય મહેતાનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ માત્ર બે જ વર્ષનો હતો (19 સપ્ટેમ્બર 1963 - 19 સપ્ટેમ્બર 1965),  છતાં તેમણે...
આર.સી.ફળદુ: એક વાલી જેવું વ્યક્તિત્વ અને સમાજનો કોઈ પણ વ્યક્તિ જેમને જઈને મળી શકે
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.