UPI સર્વિસ કેમ થઈ રહી છે ડાઉન, NPCIએ જણાવ્યું કારણ

26 માર્ચે સાંજે 7 વાગ્યે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) અચાનક ડાઉન થઈ ગયું. UPI ડાઉન થયા પછી, GPay, PhonePe, Paytm અને Bhim એપના યૂઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. UPI આઉટેજને કારણે, HDFC બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા અને કોટક મહિન્દ્રા બેંકના ગ્રાહકોને ઓનલાઈન પેમેન્ટમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. UPI ડાઉન હોવાને કારણે, દેશભરમાં હજારો લોકો પૈસા મેળવી શક્યા નહીં કે ટ્રાન્સફર કરી શક્યા નહીં. જોકે, હવે UPI સંપૂર્ણપણે ઠીક થઈ ગયું છે અને બધી સેવાઓ પહેલાની જેમ કામ કરી રહી છે.

UPI1
youtube.com

લગભગ દોઢ કલાક સુધી ચાલેલા આ આઉટેજને કારણે, વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ કરતા યૂઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આ પછી, UPI સેવાઓ ઠીક થવા પર NPCI દ્વારા એક ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી. NPCI એ આઉટેજના કારણ અંગે એક સત્તાવાર નિવેદન પણ બહાર પાડ્યું.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર NPCI એ પોસ્ટ કર્યું કે ટેકનિકલ સમસ્યાઓના કારણે આઉટેજનો સામનો કરવો પડ્યો હતો. NPCI એ કહ્યું કે બધી ટેકનિકલ સમસ્યાઓ હવે સંપૂર્ણપણે ઉકેલાઈ ગઈ છે અને હવે યૂઝર્સ UPI નો ઉપયોગ કરી શકે છે.

UPI4
x.com

ડાઉનડિટેક્ટર મુજબ, સાંજે 7:50 વાગ્યા સુધી  UPI ની સમસ્યા શરૂ થઈ. થોડા જ સમયમાં, આઉટેજ અંગે વેબસાઇટ પર હજારો ફરિયાદો નોંધાઈ. તમને જણાવી દઈએ કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ ઓફ ઇન્ડિયા એક લોકપ્રિય ઓનલાઈન પેમેન્ટ સેવા છે. તેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. હાલમાં, UPI આઉટેજ અંગે NPCI દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

Related Posts

Top News

ATMમાંથી પૈસા ઉપાડવાનું થશે હવે મોંઘુ, RBIએ 2 રૂપિયા ચાર્જ વધાર્યો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નોટિફિકેશન જારી કરીને ATM ટ્રાન્ઝેકશમાં ઇન્ટરેચેંજ ફી વધારવાના નિર્ણયની જાહેરાત કરી છે જે 1 મે...
Business 
ATMમાંથી પૈસા ઉપાડવાનું થશે હવે મોંઘુ, RBIએ 2 રૂપિયા ચાર્જ વધાર્યો

‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે શનિવારે એક સાથે ચૂંટણી કરાવવા પર ભાર...
National  Politics 
‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર

ઓડિશાના સીનિયર IAS અધિકારી સુજાતા કાર્તિકેયને વોલન્ટરી રિટાયરમેન્ટ (VRS) લઇ લીધું છે. કેન્દ્ર સરકારે તેમની દરખાસ્ત મંજૂર કરી લીધી...
National 
કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર

રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’

કોમેડિયન અને બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકી ઘણીવાર તેમના કોમેડી અને બેફામ નિવેદનો માટે સમાચારમાં રહે છે. તે...
Entertainment 
રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’
Copyright (c) Khabarchhe All Rights Reserved.