શું 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે GST? નાણા મંત્રાલયે કરી દીધું સ્પષ્ટ

કેન્દ્ર સરકારે એવી અફવાઓને નકારી કાઢી છે કે, સરકાર 2,000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર GST લગાવવા પર વિચારી રહી છે. નાણા મંત્રાલયે કહ્યું હતું કે, વર્તમાનમાં એવા કોઈ પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો નથી અને GST લગાવવાના સમાચાર પૂરી રીતે ખોટા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)30 ડિસેમ્બર, 2019ના રોજ જાહેર કરવામાં આવેલી એક અધિસૂચનાના માધ્યમથી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ (MDR) પર્સન ટૂ મર્ચન્ટ (P2M) UPI લેવડ-દેવડ પર MDR હટાવી દીધો હતો.

આ અધિસૂચના જાન્યુઆરી 2020થી લાગૂ છે. હવે UPI લેવડ-દેવડ  પર કોઈ MDR ચાર્જ લેવામાં આવતો નથી, એવામાં UPI લેવડ-દેવડ  પર પણ GST નહીં લાગે. પર્સન ટૂ મર્ચન્ટ UPI લેવડ-દેવડનો અર્થ છે વ્યાપારી અને ગ્રાહક વચ્ચે કરવામાં આવેલું ટ્રાન્ઝેક્શન.

UPI1
mindgate.solutions

 

જાણો શું હોય છે GST?

તમને જણાવી દઈએ કે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એક ઇનડાયરેક્ટ ટેક્સ સિસ્ટમ છે, જે ભારતમાં 1 જુલાઈ, 2017થી લાગૂ થઈ હતી. આ ટેક્સ સિસ્ટમ અગાઉથી ઉપસ્થિત ઘણા ટેક્સ જેમ કે VAT, એક્સાઇઝ ડ્યુટી અને સર્વિસ ટેક્સને જોડીને બનાવવામાં આવી હતી. GSTનું ઉદ્દેશ્ય કર પ્રક્રિયાને સરળ બનાવવાનો અને દેશભરમાં એકસમાન ટેક્સ લગાવવા જેવા વન નેશન, વન ટેક્સ પણ કહેવામાં આવે છે. તેનાથી વ્યવસાયમાં પારદર્શિતા આવી અને ડિજિટલ લેવડ-દેવડને પ્રોત્સાહન મળ્યું.

UPI1
mindgate.solutions

 

ટેક્સ સ્લેબ અને વ્યવસાય પર અસર

ઉલ્લેખનીય છે કે, GSTને મુખ્ય 4 સ્લેબમાં વહેંચવામાં આવ્યો છે- 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા. આ ઉપરાંત, કેટલીક આવશ્યક વસ્તુઓ જેમ કે અનાજ અને દવાઓ 0 ટકા ટેક્સમાં આવે છે. તો, સૌથી વધુ ટેક્સ લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર લાગે છે. આ ટેક્સ સિસ્ટમે શરૂઆતમાં નાના વેપારીઓને થોડી તકલીફ આપી હતી, પરંતુ ધીમે-ધીમે તેઓ પણ ઓનલાઈન રજીસ્ટ્રેશનઅને રિટર્ન ફાઇલિંગથી ટેવાઈ ગયા. આજે, GSTના કારણે, દેશમાં આંતરરાજ્ય વેપાર સરળ થઈ ગયો છે અને  ટેક્સ ચોરી પર પણ રોક લાગી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.