દલાલ સ્ટ્રીટ પર ધમાકો, 5 કલાકમાં 7.60 લાખ કરોડ ડૂબ્યા, આ છે ઘટાડાનું મુખ્ય કારણ

On

ગુરુવારે સેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ લગભગ 350 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. ચૂંટણીના પરિણામો અંગેની અનિશ્ચિતતા બજારના ઘટાડા પાછળનું મુખ્ય કારણ હોવાનું કહેવાય છે.

ગુરુવારનો દિવસ શેરબજાર માટે ઘણો ખરાબ સાબિત થયો. 30 શેરો વાળા સેન્સેક્સમાં આજે 1000થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો. જ્યારે, 50 શેરના નિફ્ટીમાં પણ લગભગ 350 પોઈન્ટનો ઘટાડો થયો હતો. વધતી જતી વોલેટિલિટી અને વિદેશી રોકાણકારોનું વેચાણનું દબાણ શેરમાં ઘટાડા પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે. સેન્સેક્સ 1062 પોઈન્ટ ઘટીને 72,404 પર પહોંચ્યો હતો. જ્યારે, નિફ્ટી 335 પોઈન્ટ ઘટીને 21967ના સ્તરે બંધ થયો હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોએ 5 કલાકમાં 7.60 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા.

આજે સેન્સેક્સ પર સૌથી વધુ નુકસાન કરનાર 5 શેરો છે, L&T (-5.56 ટકા), એશિયન પેઇન્ટ્સ (-4.51 ટકા), JSW સ્ટીલ (-3.46 ટકા), ITC (-3.27 ટકા) અને બજાજ ફાઇનાન્સ (-2.83 ટકા). જ્યારે, ટાટા મોટર્સ (1.86 ટકા), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (1.48 ટકા), SBIN (1.27 ટકા), ઇન્ફોસિસ (0.54 ટકા) અને HCL Tec (0.49 ટકા)એ સેન્સેક્સ પર સૌથી વધુ નફો કર્યો છે.

નિફ્ટી ઓટો સિવાય અન્ય તમામ ઈન્ડેક્સ આજે લાલ નિશાનમાં બંધ થયા છે. સૌથી વધુ નુકસાન ઓઇલ અને ગેસ સેક્ટરને થયું હતું જે 3.2 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. આ સિવાય નિફ્ટી મેટલ 2.9 ટકા અને FMCG 2.5 ટકા ઘટ્યા હતા. જ્યારે નિફ્ટી ફાર્મા અને રિયલ્ટી 2 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. નિફ્ટી ઓટો માત્ર 0.8 ટકા વધીને બંધ રહ્યો હતો.

નિષ્ણાતોના મતે સામાન્ય ચૂંટણીને લઈને અનિશ્ચિતતાના વાતાવરણને કારણે બજારમાં વેચવાલી વધી છે. આ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ ભારતીય બજારમાંથી નાણાં ઉપાડી રહ્યા છે, જેની અસર દેખાઈ રહી છે. મહેતા ઇક્વિટીઝના વરિષ્ઠ VP પ્રશાંત તાપસે કહે છે કે, ચૂંટણીની અનિશ્ચિતતાને કારણે લોકો ઝડપથી તેમના ઇક્વિટીમાં એક્સપોઝર ઘટાડી રહ્યા છે, જેથી તેમના પર અચાનક કોઈ મોટું નુકસાન ન તૂટી પડે. જ્યારે, જિયોજીત ફાઇનાન્શિયલના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યું છે કે, રોકાણકારો ત્રિમાસિક પરિણામો વિશે સાવચેત હતા, જેના કારણે વેચાણ જોવા મળ્યું હતું. તેમણે ચૂંટણી પરિણામોની અનિશ્ચિતતાને પણ મુખ્ય કારણ ગણાવ્યું હતું. આ સિવાય ફેડરલ રિઝર્વની બેઠકમાં રેટ કટમાં વિલંબ થવાના ભયને પણ વેચવાલીનું કારણ માનવામાં આવી રહ્યું છે.

નોંધ: શેર બજારમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમે તમારા રોકાણકર્તા નિષ્ણાંતોની સલાહ અવશ્ય લો.

Related Posts

Top News

સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

સુરત શહેરની ઓળખ એટલે સ્વાદિષ્ટ ખાણીપીણી અને જીવંત સંસ્કૃતિ. કહેવત છે “સુરતનું જમણ ને કાશીનું મરણ,” અને આ કહેવત સુરતની...
Gujarat 
સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં શનિવારે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરનને કઠુઆ જિલ્લામાં જમીન ફાળવવાનો મુદ્દો ઉઠ્યો હતો. કેટલાક ધારાસભ્યોએ સરકારના...
National  Politics 
મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

આસામની ભાજપ સરકારે 4 વર્ષમાં જાહેરાતો પાછળ ખર્ચ કર્યા 370 કરોડ રૂપિયા

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની સરકારે છેલ્લા 4 નાણાકીય વર્ષમાં જાહેરાતો પાછળ 370 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. માહિતી...
National  Politics 
આસામની ભાજપ સરકારે 4 વર્ષમાં જાહેરાતો પાછળ ખર્ચ કર્યા 370 કરોડ રૂપિયા

પ્રભાસની 'ધ રાજા સાબ' અનિશ્ચિત સમય માટે મુલતવી કેમ રાખવામાં આવી

પ્રભાસની આવનારી આગામી ફિલ્મોની યાદી લાંબી છે. ઘણી ફિલ્મો લાઇનમાં છે. જેમાં પહેલું નામ 'ધ રાજા સાબ' છે....
Entertainment 
પ્રભાસની 'ધ રાજા સાબ' અનિશ્ચિત સમય માટે મુલતવી કેમ રાખવામાં આવી

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati