રાજ્યમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ, જાણો 24 કલાકના આંકડા

રાજ્ય અને દેશમાં કોરોના પોઝિટિવ કેસો ફરીથી ધીમે ધીમે વધવા લાગ્યા છે. કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધતું હોવાના કારણે લોકોએ તકેદારી રાખવાની વધુ જરૂર છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 53 પોઝિટિવ કેસો નોંધાયા હતા અને 49 દર્દીઓ સાજા થયા હતા. તો બીજી તરફ છેલ્લા એક મહિનાથી રાજ્યમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. રાજ્યમાં જે 53 કેસો 24 કલાકમાં નોંધાયા છે તેમાંથી અમદાવાદ શહેરમાં 9, સુરત શહેરમાં 3, વલસાડ જિલ્લામાં 3, રાજકોટમાં 2, આણંદ, મહેસાણા, તાપી, વડોદરા અને અમદાવાદ જિલ્લામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે.

અમદાવાદ શહેરમાં 31 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. જે રીતે પહેલી-બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં વધ્યું હતું તે રીતે ફરીથી રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે. લોકો માટે રાહતની વાત એ છે કે, 28 જિલ્લા અને 4 શહેરોમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી અને રિકવરી રેટ 99.08 ટકા પર સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો 12,25,488 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને અત્યાર સુધીમાં રાજ્યમાં 12,14,227 લોકો કોરોનાની સારવાર લઈને સ્વસ્થ થયા હતા.

જૂન મહિનાની શરૂઆતથી રાજ્યમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો 1 જૂનના રોજ 40, 2 જૂનના રોજ 50, 3 જૂનના રોજ 46, 4 જૂનના રોજ 56, 5 જૂનના રોજ 68 અને 6 જૂનના રોજ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. 

મહત્ત્વની વાત છે કે, કોરોના સંક્રમણ રાજ્યમાં ઘટી ગયું હોવાના કારણે ફરીથી લોકો પોતાની રૂટિન લાઈફ જીવી રહ્યા છે પરંતુ ઘણા લોકોને એવું છે કે, કોરોના રહ્યો નથી અને તેઓ કોરોનાથી બચવાના ઉપાયો હતા તેના પ્રત્યે તકેદારી રાખતા નથી. રાજ્યમાં મોટાભાગના શહેરો કે ગામડાંઓમાં મોટાભાગના લોકો માસ્ક પહેરતા નથી. તો ઠેર-ઠેર જગ્યા ઉપર સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ થઇ રહ્યો છે. તો બીજી તરફ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓ દ્વારા રાજ્યમાં અલગ-અલગ શહેરોમાં સંમેલનો અને રેલીઓ કાઢવામાં આવી રહી છે. આ તમામ રાજકીય કાર્યક્રમમાં સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ થઇ રહ્યો છે. ત્યારે સરકારે કોરોનાનું સંક્રમણ રાજ્યમાં વધે તે પહેલા જ નિયમોનું પાલન ફરીથી શરૂ કરવું જોઈએ જેથી કોરોનાનું સંક્રમણ આગળ વધતા પહેલા જ તેને અટકાવી શકાય.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.