દિલ્હીમાં દરરોજ કોરોનાથી થઈ રહ્યા છે 8-10 મોત, દેશ માટે આંકડા છે ડરામણા

દિલ્હીમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં દરરોજ બે હજાર કે તેથી વધુ નવા કેસ આવી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે મૃત્યુઆંક ચિંતાજનક છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં દરરોજ સરેરાશ 8 થી 10 દર્દીઓના મોત થઈ રહ્યા છે. તો કોરોનાથી સંક્રમિત દર્દીઓની હોસ્પિટલમાં દાખલની સંખ્યામાં પણ વધારો થયો છે. દિલ્હીના ઉપરાજ્યપાલે ટ્વીટ કરીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, હું દરેકને કોવિડના નિયમોનું પાલન કરવાની અપીલ કરું છું. આપણે કોવિડ-19 ના ચેપમાં વધારો જોઈ રહ્યા છીએ, સતત ઉચ્ચ સંક્રમણ દર અને લોકો ફરીથી સંક્રમિત થઈ રહ્યા છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે સમજીએ કે મહામારી હજી સમાપ્ત થઈ નથી અને હું બધાને અપીલ કરું છું કે લોકો કોરોના નિયમોનું સખ્તપણે પાલન કરે.

હેલ્થ એક્સપર્ટ ડૉ. સુનિલા ગર્ગે NDTV સાથે વાત કરતાં કહ્યું છે કે કોરોનાથી રિકવરી રેટ સારો છે, પરંતુ કેસ વધી રહ્યા છે અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હાલમાં 9,000 થી વધુ (કોવિડ) બેડ પર દર્દીઓ છે. હાલમાં, 2,129 ICU બેડમાંથી, 20 દર્દીઓ દાખલ છે જ્યારે 65 દર્દીઓ વેન્ટિલેશન પર છે.સાથે તેમણે કહ્યું કે, ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે.

આરોગ્ય વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, સોમવારે દિલ્હીમાં કોરોનાથી આઠ મૃત્યુ નોંધાયા હતા. જ્યારે 1,227 નવા કેસ નોંધાયા છે. 14 ઓગસ્ટે કોરોનાના 2162 નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન 5 દર્દીઓના મોત થયા હતા. તો, શનિવારે દિલ્હીમાં કોરોનાના 2031 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 9 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા હવે દક્ષિણ દિલ્હીનું પ્રશાસન ખૂબ જ સતર્ક થઈ ગયું છે. જે લોકો કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તેમની સામે વહીવટીતંત્ર હવે કડક પગલાં લેશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.