ધોરણ 1થી 8નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા બાબતે ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન

On

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે તમામ શાળા અને કોલેજો બંધ કરવામાં આવ્યા હતા. કોરોનાનું સંક્રમણ વિદ્યાર્થીઓમાં ફેલાય નહીં, તે માટે તેમને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવતો હતો. પણ હાલ બીજી લહેર બાદ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર શાળા અને કોલેજો ખોલવાની શરૂઆત કરી છે. 15 જુલાઈથી રાજ્યમાં ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓને ઓફલાઈન ભણાવવા માટે રાજ્ય સરકારે છૂટ આપી હતી. ત્યારબાદ હવે આજથી રાજ્યમાં ધોરણ 9, 10 અને 11નું ઓફલાઈન શિક્ષણ શરૂ થઇ રહ્યું છે. ઓફલાઈન શિક્ષણની શરૂઆત થતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં પણ ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આગામી દિવસોમાં અન્ય ધોરણો પણ તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવશે તેવું નિવેદન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું હતું. ઓફલાઈન શિક્ષણ શરૂ થતા જ વિદ્યાર્થીઓ પણ ખૂશીથી શાળાએ પહોંચી રહ્યા છે. સરકારના નિયમ અનુસાર 50% ક્ષમતા સાથે શાળાઓમાં ધોરણ 9, 10 અને 11નું ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, અમે ગઈ વખતે પહેલા અને બીજા વેવની વચ્ચે તબક્કાવાર અભ્યાસ કરીને, આરોગ્ય વિભાગની સલાહ લઇને, કોર કમિટીમાં ચર્ચા કર્યા પછી અમે નિર્ણય કરીએ છીએ તેના ભાગ રૂપે 15મી જુલાઈથી કોલેજ અને ધોરણ 12નું શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું. આજથી 9, 10 અને 11નું શિક્ષણકાર્ય શરૂ થઇ રહ્યું છે. હું શિક્ષણકાર્યમાં જોડાયેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું. ઈશ્વરને પ્રાર્થના કરું છું કે, આ શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ રહે. હવે પછી આજ પ્રકારે કોર કમિટીમાં ચર્ચા કરીને તબક્કાવાર બાકીના વર્ગોનું શિક્ષણ કાર્ય પણ અને શરૂ કરવાના છીએ.

અમદાવાદના એક શિક્ષિકાએ જણાવ્યું હતું કે, આજથી ધોરણ 9, 10 અને 11નું ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે. તેમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે 50% વિદ્યાર્થીઓને બોલાવવામાં છે. એટલે અમારો કાર્યભાર બે ભાગમાં વહેંચાઇ જશે. એટલે એક અઠવાડિયાના 6 પીરીયડ હોય છે, પણ આ સીસ્ટમ અનુસાર અમારે 6 પીરીયડનું કામ 3 પીરીયડમાં કરવાનું રહેશે. હું સરકારનો આભાર પણ માનું છું.

શાળામાં અભ્યાસ કરવામાં માટે આવેલા અમદાવાદના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અમે લાંબા સમયથી ઓનલાઈન શિક્ષણ મળતું હતું અને ઘણા સમય પછી ઓફલાઈન શિક્ષણ મેળવવાનો મોકો મળ્યો છે. અમે ખૂબ જ આનંદમાં છીએ. ઓફલાઈન શિક્ષણ શરૂ થતા અમે મિત્રો સાથે આટલા લાંબા સમય પછી મળ્યા એટલે અમને ખૂબ સારું લાગે છે.

Related Posts

Top News

RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના પોતાના...
National 
RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

કેદારનાથ ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર અને તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચાઓ પ્રબળ બની છે. કેદારનાથના BJP ધારાસભ્ય આશા...
National 
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati