પોતાના રસોઈયાનો પગાર જાણીને સલમાન ખાનના જીજા આયુષ શર્માએ તેને નોકરીમાંથી જ કાઢી મૂકેલો

બોલિવુડ એક્ટર અને સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાનનો પતિ આયુષ શર્મા ફરી એક વખત પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવી ગયો છે. વાસ્તવમાં, તાજેતરમાં જ ફરાહ ખાન પોતાના કૂકિંગ વ્લોગ માટે અર્પિતા અને આયુષના ઘરે પહોંચી હતી. જેનો ફૂલ વીડિયો યુટ્યુબ પર આવી ગયો છે. આ વીડિયોમાં, આયુષે ખુલાસો કર્યો કે તેના ઘર પર ખાવાનું બનતું નથી કેમ કે તેણે પોતાના રસોઈયાને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. જ્યારે ફરાહ ખાને પોતાના વ્લોગમાં આયુષ અને અર્પિતાને પૂછ્યું કે, તમારા ઘરમાં ખાવાનું કોણ બનાવે છે, તો આયુષ ખુલાસો કરતા કહે છે કે, મેં મારા રસોઈયાને પૂછ્યું કે તમારો પગાર કેટલો છે? જ્યારે તેણે મને મને જણાવ્યો તો મને ખરેખર હાર્ટ એટેક આવી ગયો. પછી મેં વિચાર્યું કે, હું જેટલી સેલેરી તેને આપી રહ્યો છુ તેનાથી ઓછા ખર્ચમાં તો હું દરરોજ બહારથી ખાવાનું મગાવી શકું છું. સાથે જ મજાક કરતા આયુષે પોતાના ઘરને મુંબઈને દુબઇ પણ કહ્યું.

aayush-sharma1
news18.com

 

આયુષના આ ખુલાસા બાદ અર્પિતા કહે છે કે હાલમાં, સલમાન ખાનના ઘરથી ખાવાનું આવી રહ્યું છે. કારણ કે તેને તેની માતા સલમા ખાનના હાથનું ખાવાનું ખૂબ પસંદ છે. અર્પિતાએ એમ પણ કહ્યું હતું કે, સોહેલ ખાન અને અરબાઝ ખાનના ઘરે પણ સલમાનના ઘરેથી જ ખાવાનું જાય છે. અર્પિતાએ વાતો-વાતોમાં ફરાહ ખાનને જણાવ્યું કે, અમને બહારનું ખાવાનું વધારે પસંદ આવતું નથી. જ્યારે અમે ફિનલેન્ડ ગયા હતા ત્યારે અમે પોતાની સાથે શેફ લઈને ગયા હતા. ફરાહે અર્પિતાને પૂછ્યું કે, ‘શેફનું ખાવાનું ક્યાં બની રહ્યું હતું ઇગ્લૂમાં? આ સવાલ પર અર્પિતાએ કહ્યું કે, અમે પોતાના માટે એક વિલા બુક કરી લીધું હતું. ફરાહ આ સાંભળીને દંગ રહી ગઈ અને તેણે આગ્રહ કર્યો કે તેઓ આ વાત દીલિપને ન બતાવે.

 

તમને જણાવી દઈએ કે અર્પિતા ખાને વર્ષ 2014માં આયુષ શર્મા સાથે લગ્ન કર્યા હતા. આજે, આ યુગલો 2 બાળકો એક પુત્રી અને પુત્રના પેરેન્ટ્સ છે. જેમના પર સલમાન ખાન પણ પોતાનો પ્રેમ લૂંટાવે છે. અર્પિતા સલમાનની નાની બહેન છે. તેના ભાઈ સાથે પણ ખૂબ સારું બોન્ડિંગ છે. અર્પિતા પોતાના ભાઈઓની લાડકી છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.