તારક મહેતા શો જેટલો પ્રખ્યાત એટલો જ વિવાદિત રહ્યો...અનેક આરોપો પર અસીત મોદીએ આપ્યો જવાબ

TVનું પ્રખ્યાત સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) 17 વર્ષથી ચાહકોમાં હિટ રહ્યું છે. કેટલા વર્ષોથી, આ શો સતત TRP યાદીમાં ટોચ પર રહ્યો છે. ઘણા કલાકારોએ આ શો છોડી દીધો હતો જ્યારે ઘણાએ નિર્માતાઓ પર માનસિક સતામણીનો આરોપ પણ લગાવ્યો હતો. આ શોને લોકોનો જેટલો પ્રેમ મળ્યો, તેટલો જ તે વિવાદોથી પણ ઘેરાયેલો રહ્યો.

TMKOC
tv9hindi.com

શોના નિર્માતા અસિત કુમાર મોદીએ આ અંગે વાત કરી. શો છોડી ગયેલા કલાકારોએ અસિત પર પૈસા ન ચૂકવવાથી લઈને માનસિક ત્રાસ આપવા સુધીના તમામ આરોપો લગાવ્યા. આમાંથી કેટલાક કેસ તો કોર્ટમાં પણ ખેંચવામાં આવ્યા. મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં શોના નિર્માતા અસિતે કહ્યું કે, જ્યારે લોકો તેને બદનામ કરે છે ત્યારે તેને ખરાબ લાગે છે. તેઓ આવા આરોપોથી તે ખૂબ જ પરેશાન થાય છે.

TMKOC
indiatv.in

શોના નિર્માતા અસિતે કહ્યું, મેં ક્યારેય મારી જાતને કલાકારોથી અલગ કરી નથી. જો કોઈ સમસ્યા હોય, તો તેઓ હંમેશા મારો સંપર્ક કરી શકે છે. હું હંમેશા ખૂબ જ પ્રામાણિક રહ્યો છું અને શોને પ્રાથમિકતા આપું છું. મેં ક્યારેય કોઈ અંગત લાભ વિશે વિચાર્યું નથી, તેથી આવી ઘટનાઓને લઈને હું પરેશાન થઇ જાઉં છું, પરંતુ હું સ્વીકારું છું કે, આ જીવનનો એક ભાગ છે.

TMKOC
timesnownews-com.translate.goog

અસિતે આગળ કહ્યું, 'જે કલાકારો શો છોડીને ગયા છે, તેઓ મારી વિરુદ્ધ વાત કરી રહ્યા છે. કોઈ વાંધો નથી. હું તેમને કંઈ કહીશ નહીં. તેમણે મારા શોમાં કામ કર્યું છે અને TMKOCની સફળતામાં તેમની પણ ભૂમિકા છે. ભલે મેં તેનું નેતૃત્વ કર્યું હોય, પણ બધાના પ્રયત્નોને કારણે આ શો પ્રખ્યાત થયો. હું આજે શોને જે કંઈ બનાવી શક્યો છું, તે હું એકલો બનાવો શકતો ન હતો. અમે એક ટ્રેન જેવા છીએ. કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી જાય છે, પરંતુ ટ્રેન આગળ ચાલતી રહેશે. મને ખરાબ લાગે છે, પણ હું તેમને માફ કરું છું, કારણ કે જો હું મારા દિલમાં કોઈ ફરિયાદ રાખુ છું, તો હું ખુશ નહીં રહીશ અને લોકોને હસાવી શકીશ નહીં.'

TMKOC
abplive.com

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સફળતા વિશે વાત કરતા, અસિત કુમાર મોદીએ કહ્યું, 'જ્યારે કોઈ શો લોકપ્રિય બને છે, ત્યારે તે એક ટીમ પ્રયાસ હોય છે. તેઓ બધા ખૂબ જ સખત મહેનત કરે છે. હું ખાતરી કરવાની કોશિશ કરું છું કે તેમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. હું તેમને એક રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરું છું, અને જો તેઓ તેમના કામમાં પ્રામાણિક હોય, તો મોટાભાગે સમસ્યાઓ ઊભી થતી નથી.'

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.