આ કારણે લંડન શિફ્ટ થવા માગે છે અનુષ્કા, માધુરી દિક્ષિતના પતિએ કર્યો ખુલાસો

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી છેલ્લા કેટલાક દિવસોથી લંડનમાં રહે છે. એટલું જ નહીં, બંને અહીં પર્મનેન્ટલી સેટલ થવાની પ્લાનિંગ પણ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત સોશિયલ મીડિયા પર છવાયેલા છે. હવે તેની પાછળના કારણનો ખુલાસો થઇ ગયો છે કે કેમ અનુષ્કા લંડન શિફ્ટ થવા માગે છે. તેનો ખુલાસો કોઇ બીજાએ નહીં, પરંતુ પણ માધુરી દીક્ષિતના પતિએ કર્યો છે. માધુરીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, અનુષ્કા લંડન કેમ શિફ્ટ થવા માગે છે. થોડા મહિના અગાઉ, માધુરી દીક્ષિતના પતિ ડૉ. શ્રીરામ નેને, જેઓ એક હેલ્થ એન્ડ વેલનેસ યુટ્યુબ ચેનલ ચલાવે છે, તેમણે યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાનું પોતાના પોડકાસ્ટ પર સ્વાગત કર્યું હતું જ્યારે બંનેએ વિરાટ કોહલી માટે પોતાની શાનદાર દીવાનગી પર ચર્ચા કરી હતી.

madhuri
aajtak.in

 

વાતચીત દરમિયાન ડૉક્ટર નેનેએ અનુષ્કા સાથે પોતાની વાતચીતને યાદ કરતા કહ્યું કે, હું તમને કંઇક બતાવીશ, અને એજ તમે શીખો છો, તેઓ બધા એક વખતમાં પોતાનું પેન્ટ પગમાં પહેરે. અમે એક દિવસ અનુષ્કા સાથે વાતચીત કરી હતી, અને તે ખૂબ જ રસપ્રદ હતી. તેઓ લંડન જવા બાબતે વિચારી રહ્યા હતા કેમ કે તેઓ પોતાની સફળતાનો આનંદ નથી લઇ શકતા. અને અમે તેમની આ મુશ્કેલીની પ્રશંસા કરીએ છીએ, કારણ કે તેઓ જે કંઇ કરે છે તે ધ્યાન આકર્ષિત કરે છે. આપણે લગભગ અલગ-થલગ પડી જઇએ છીએ. પછી ડૉક્ટર નેનેએ પ્રસિદ્ધિ સાથે પોતાના જટિલ સંબંધો બાબતે વાત કરી અને ખુલાસો કર્યો કે અનુષ્કા અને વિરાટ લંડન જતા રહ્યા કેમ કે તેઓ પણ પોતાના બાળકોને બધી ચમક-દમક અને ગ્લેમરથી દૂર ઉછેરવા માગે છે.

ડૉક્ટર નેનેએ કહ્યું કે, 'હું બધા સાથે હળી મળી જાઉં છું, હું બિન્દાસ છું. પરંતુ ત્યાં પણ તે પડકારપૂર્ણ થઇ જાય છે. હંમેશાં સેલ્ફી મોમેન્ટ હોય છે. ખરાબ રીતે નહીં, પરંતુ એક સમય એવો આવે છે જ્યારે તે જોવા જેવો બની જાય છે, જ્યારે તમે ડિનર અથવા લંચ પર હોવ છો અને તમારે તેની બાબતે વિનમ્ર થવું પડે છે. મારી પત્ની માટે આ એક મુદ્દો બની જાય છે, પરંતુ (અનુષ્કા અને વિરાટ) પ્રેમાળ લોકો છે, અને તેઓ પોતાના બાળકોને સામાન્ય રીતે ઉછેરવા માગે છે.

Virat,-Anushka1
news18.com

 

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની પહેલી મુલાકાત વર્ષ 2013માં એક ટેલિવિઝન જાહેરાતની શૂટિંગ દરમિયાન થઇ હતી. બંને એકબીજાના પ્રેમ કરવા લાગ્યા, પરંતુ પોતાના સંબંધો છુપાવીને રાખ્યા. વર્ષ 2017માં ઇટાલીમાં બંને લગ્નના બંધનમાં બંધાઇ ગયા. આ કપલે જાન્યુઆરી 2021માં તેમના પહેલા બાળકના રૂપમાં, એક દીકરીનું સ્વાગત કર્યું અને તેનું નામ વામિકા રાખ્યું. ત્યારબાદ ફેબ્રુઆરી 2024માં તેઓ એક પુત્રના ગૌરવશાળી માતા-પિતા બની ગયા અને તેનું નામ અકાય રાખવામાં આવ્યું. હવે અનુષ્કા પોતાના બાળકોને ગ્લેમર અને ચમક-દમકની દુનિયાથી દૂર એક સામાન્ય જિંદગી આપવા માગે છે. ભારતમાં તેમના બાળકોને હંમેશાં લાઇમલાઇટમાં રાખવામા આવશે, પરંતુ અનુષ્કા આવું ઇચ્છતી નથી, તેના બદલે તે ઇચ્છે છે કે તેના બાળકો બીજા સામાન્ય બાળકોની જેમ પોતાનું બાળપણ જીવે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.