એક દિવસમાં જ અમદાવાદ અને સુરતમાંથી 500થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી પકડાયા

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને ફોન કરીને તેમને કેન્દ્રના નિર્ણયથી અવગત કરાવ્યા હતા, જેમાં પાકિસ્તાની નાગરિકોને 14 કેટેગરીમાં આપવામાં આવેલા તમામ હાલના કાયદેસર વિઝાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે રાજ્યોને એ સુનિશ્ચિત કહ્યું હતું કે તેઓ અહીં રહેતા પાકિસ્તાનીઓ અને અન્ય ગેરકાયદેસર પ્રવાસીઓની જાણકારી મેળવે અને તેમને 26-29 એપ્રિલ સુધીની સમયમર્યાદાની અંદર ભારત છોડવા કહે.

foreign-immigrants2
com/ANI

કેન્દ્ર સરકારના આ નિર્દેશ બાદ  તમામ રાજ્યો, ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યોએ અહીં રહેતા ગેરકાયદેસર પ્રવાસીઓને ઓળખવા માટે મોટા પ્રમાણમાં અભિયાન ચલાવ્યું છે. આ સંદર્ભમાં, ગુજરાતના અમદાવાદમાં 400થી વધુ શંકાસ્પદ પ્રવાસીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના DCP પી. અજીત રાજિયને કહ્યું કે, ‘અમે SGO, EOW, ઝોન 6 અને હેડક્વાર્ટરની ટીમો સાથે મળીને અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી પ્રવાસીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન 400થી વધુ શંકાસ્પદ પ્રવાસીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

બીજી તરફ, સુરત પોલીસની SOG અને ક્રાઇમ બ્રાંચ ટીમોએ શહેરના અલગ-અલગ વિસ્તારોના 100થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસની ટીમ આ લોકોની પૂછપરછ કરી રહી છે. અમદાબાદમાં કસ્ટડીમાં લેવાયેલા ગેરકાયદેસર પ્રવાસીઓમાં બાંગ્લાદેશીઓની સંખ્યા વધુ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના JCP શરદ સિંઘલે કહ્યું કે, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, DGPની સૂચના અનુસાર, અમદાવાદમાં ચંડોળાની આસપાસ રહેતા ગેરકાયદેસર પ્રવાસીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અમે 457 ગેરકાયદેસર પ્રવાસીઓને પકડ્યા છે, બધાની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમે તેમને ડિપોર્ટ કરીશું.

તેમણે કહ્યું કે, આ અગાઉ 2 FIR કરીને 127 બાંગ્લાદેશી ઘુસણખોરોની ધરપકડ કરવામાં આવી હતી, તેમાંથી 70ને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને બાકીનાને રિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ગેરકાયદેસર પ્રવાસીઓમાં મોટાભાગના પાસે નકલી ભારતીય દસ્તાવેજો મળ્યા છે. કોની મદદથી તેઓ દસ્તાવેજો બનાવડાવે છે, તેની તપાસ કરી રહ્યા છીએ. કસ્ટડીમાં લેવામાં આવેલા 457 ગેરકાયદેસર પ્રવાસીઓની પૂછપરછ ચાલી રહી છે અને અમે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તેઓ કોના સંપર્કમાં છે, કેવી રીતે ભારતમાં પ્રવેશ્યા અને તેમના દસ્તાવેજોની પણ તપાસ ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

મહારાષ્ટ્રના મંત્રીએ એવી 'રમત' રમી કે રાજીનામું આપતાની સાથે જ DyCM પવાર CM પાસે દોડી ગયા

મહારાષ્ટ્રના રમતગમત મંત્રીએ જ મોટી 'ગેમ' રમી. નામ-માણિકરાવ કોકાટે, પક્ષ-DyCM અજિત પવારની NCP, આ કેસ ત્રણ...
National 
મહારાષ્ટ્રના મંત્રીએ એવી 'રમત' રમી કે રાજીનામું આપતાની સાથે જ DyCM પવાર CM પાસે દોડી ગયા

ઓમાન છે તો એક મુસ્લિમ દેશ, પણ ભારતીય ઉદ્યોગપતિઓ અગ્રેસર છે, 100 વર્ષ જૂનું મંદિર પણ છે

હાલમાં PM નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસે છે. જોર્ડન અને ઇથોપિયાની મુલાકાત લીધા પછી, તેઓ હવે ઓમાન પહોંચ્યા છે. ...
Education 
ઓમાન છે તો એક મુસ્લિમ દેશ, પણ ભારતીય ઉદ્યોગપતિઓ અગ્રેસર છે, 100 વર્ષ જૂનું મંદિર પણ છે

બોલો... હવે સુરતમાં બ્યૂટી પ્રોડક્ટ પણ નકલી બને છે, 400ની ક્રિમ નકલી બનાવી 170માં વેચતા

સુરત શહેર હવે નકલી વસ્તુઓનું હબ બનતું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સુરતથી નકલી ઘી, નકલી પાન-મસાલાઓની...
Gujarat 
બોલો... હવે સુરતમાં બ્યૂટી પ્રોડક્ટ પણ નકલી બને છે, 400ની ક્રિમ નકલી બનાવી 170માં વેચતા

કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

કેનેડાના એજેક્સ (Ajax) સ્થિત એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરમાંથી આશરે $2 મિલિયન (આશરે ₹18.5 કરોડ) ની કિંમતી વસ્તુઓની ચોરીનો મામલો સામે આવ્યો...
World 
કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.