ભોજન કર્યાના તુરંત બાદ ન કરવા જોઈએ આ કામ, શરીરને થશે નુકસાન

On

તમે જોયુ હશે કે ઘણા બધા લોકોને ખાવાનું ખાધા બાદ તરત જ ઊંઘ આવી જાય છે કે પછી ઘણા બધા લોકોને ખાવાનું ખાધા બાદ ચા કે કોફી પીવાની ટેવ હોય છે અથવા તો તેઓ જાણતા-અજાણતા પોતાના ભોજનમાં એવી વસ્તુઓ સામેલ કરી દે છે જેને કારણે શરીરને ફાયદો પહોંચવાને બદલે નુકસાન પહોંચે છે. આથી આ તમામ બાબતો નોંધી લો અને હંમેશાં યાદ રાખો કે તમારે ભોજન કર્યા બાદ કઈ વસ્તુઓથી દૂર રહેવાનું છે...

ખાધા બાદ તરત જ ના પીઓ ચા કે કોફી

ખાધા બાદ ચા પીવી જરા પણ યોગ્ય નથી કારણ કે તેને કારણે પાચનની ક્રિયામાં વિક્ષેપ ઊભો થાય છે. ડૉક્ટરોનું માનવું છે કે, ખાવાનું ખાવાના 1 કલાક પહેલા અને 1 કલાક બાદ સુધી ચા કે કોફી ના પીવી જોઈએ. આવુ એટલા માટે કારણ કે ચા-કોફીમાં રહેલું કેમિકલ ટૈનિન આયરનને શોષવાની પ્રક્રિયામાં વિક્ષેપ નાંખે છે અને તેને 87% સુધી ઘટાડી દે છે, જેને કારણે પાચનની ક્રિયામાં મુશ્કેલી આવે છે. સાથોસાથ આ આદતને કારણે તમને એનીમિયા થઈ શકે છે. તેમજ ભૂખ ન લાગવા જેવી પ્રોબ્લેમ થઈ શકે છે.

ખાધા બાદ ન ખાઓ ફળ

ફળોના સેવનને ખાલી પેટે જ બેસ્ટ માનવામાં આવે છે. લંચ અથવા ડિનર કે પછી બ્રેકફાસ્ટ જેવા હેવી મીલ બાદ ફળોનું સેવન ના કરવું જોઈએ. જ્યારે તમારું પેટ ભરેલું હોય અને તે સમયે જો તમે ફ્રુટ ખાઓ તો પાચનમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે અને તમને ફળોનું પોષણ પણ નહીં મળશે. આથી ફ્રુટ્સનું સેવન તમારે સ્નેક્સ અથવા 2 મીલની વચ્ચે કરવું જોઈએ.

ઠંડુ પાણી ન પીઓ

ડાઈજેશન માટે પાણી પીવુ જરૂરી છે, પરંતુ ખાધા બાદ તરત જ પાણી ન પીવુ જોઈએ અને ચિલ્ડ અથવા ખૂબ જ ઠંડુ પાણી તો ક્યારેય ના પીવુ જોઈએ. કારણ કે ખાધા બાધ ઠંડુ પાણી પીવાથી ભોજન જામી જાય છે, જેને કારણે ડાયજેશનની પ્રક્રિયા ધીમી થઈ જાય છે. આથી ખાવાનું ખાધા બાદ હુંફાળુ અથવા રૂમ ટેમ્પરેચરવાળા પાણીનું સેવન કરવું જોઈએ અને તે પણ ખાવાના 45 મિનિટ બાદ.

સિગરેટ પીવાથી બચો

આપણે સૌ જાણીએ જ છીએ કે સિગરેટ પીવી સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે પરંતુ ખાવાનું ખાધા બાદ સ્મોકિંગ કરવું વધુ ખતરનાક બની જાય છે, કારણ કે આવુ કરવાથી ઈરિટેબલ બાવલ સિંડ્રોમ નામની બીમારી થઈ શકે છે, જેને કારણે અલ્સર થવાનું જોખમ રહે છે. ખાવાનું ખાવાના તુરંત બાદ જો તમે 1 સિગરેટ પીઓ તો તેના કારણે 10 સિગરેટ પીવા જેટલું નુકસાન થાય છે. આથી, ખાધા બાદ ક્યારેય સિગરેટ ન પીવી જોઈએ.

આલ્કોહોલનું સેવન પણ ના કરો

જો તમે ખાધા બાદ આલ્કોહોલનું સેવન કરતા હો તો તેને કારણે પણ ડાયજેશન પ્રક્રિયા પ્રભાવિત થાય છે અને શરીરની સાથોસાથ આંતરડાને પણ નુકસાન પહોંચે છે. આથી, જો તમે પીવા માગતા હો તો ખાવાના 20-30 મિનિટ પહેલા જ આલ્કોહોલનું સેવન કરી લો.

ખાવાની તુરંત બાદ ન્હાવાથી બચો

આયુર્વેદની સાથોસાથ મોર્ડન મેડિકલ સાયન્સ પણ એ વાત માને છે કે, ખાવાનું ખાવાના તરત બાદ ન્હાવાથી શરીરનું ટેમ્પરેચર અચાનક ઓછું થઈ જાય છે, જેને કારણે બ્લડ સર્ક્યુલેશન પર અસર પડે છે. આથી, ખાધા બાદ તુરંત ક્યારેય ન્હાવુ ના જોઈએ.

ખાઈને તરત સુવાની ટેવ છોડી દો

ખાઈને તરત સુઈ જવાથી એસિડિટી, નસકોરો અને સ્લીપ એપ્નિયાની પણ તકલીફ થઈ શકે છે. આથી ખાઈને તરત સુવાને બદલે થોડીવાર ચાલવું જોઈએ.

Top News

વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

સોશિયલ મીડિયા પર ઘણીવાર વિચિત્ર ટ્રેન્ડ આવતા રહે છે, જેમાં વિવિધ પડકારો આપવામાં આવે છે. જેમ કે ક્યારેક કસરતનો...
Lifestyle 
વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં આવેલા આસીરગઢ કિલ્લામાં સોનાની શોધની અફવાઓએ સ્થાનિક લોકોને ખોદકામ કરવા માટે આકર્ષ્યા, જેની શરૂઆત એક બાંધકામ સ્થળે...
National 
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ટુર્નામેન્ટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. પરિણામે, મોહમ્મદ રિઝવાનની આગેવાની...
Sports 
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

હાલમાં લોકોનું ધ્યાન ભગવાનના દર્શન કરવા પર છે, તેઓ સતત અયોધ્યા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, ભગવાન...
National 
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati