પ્રૂફરીડર કોને કહેવાય?

લેખક, કટારલેખક, તંત્રી કે ઉપતંત્રી માટે ઑથર, કૉલમિસ્ટ, એડિટર કે સબએડિટર જેવા શબ્દો સામાન્યતઃ ગુજરાતી લેખનમાં વપરાતા નથી પરંતુ જો આવા અંગ્રેજી શબ્દો વપરાય તો તે માટે પ્રથમ વાંધો કાઢનારા પ્રૂફરીડર માટે હજી પણ પ્રૂફરીડર શબ્દ જ ગુજરાતી લેખનમાં વપરાય છે. પ્રૂફરીડર એ પત્રકારત્વ કે પુસ્તક પ્રકાશનનો એક અનોખો જીવ છે. પ્રૂફરીડરનું આ અનોખાપણું ઘણા તંત્રીઓ સ્વીકારતા આવ્યા છે. માત્ર યશવંત દોશીને આ બાબતમાં વાંકું પડ્યું તેમાં પ્રૂફરીડરોનું સમકાલીનમંડળ લેવાદેવા વગર મારા ઉપર વરસી પડ્યું.

ખેર, ‘વ્યાપાર’ના ભૂતપૂર્વ તંત્રી સ્વ. હી.ઝ. ગિલાણી અને ‘જન્મભૂમિ’ના ભૂતપૂર્વ તંત્રી સ્વ. મોહનલાલ મહેતા પ્રૂફરીડરોનો આદર કરતા હતા. ગિલાણી વ્યાપારના દિવાળી અંક માટે તંત્રીલેખ લખતા ત્યારે સૌપ્રથમ તેઓ એ લેખ તેમના સહાયક તંત્રીને નહીં પણ પ્રૂફરીડરને મૂલ્યાંકન માટે તેમ જ હકીકતદોષ શોધવા માટે વાંચવા આપતા.

હું 1967થી 1977 સુધી જન્મભૂમિ જૂથમાં તંત્રી રહ્યો ત્યારે મારા કરતાં સાહિત્યનું વધુ જ્ઞાન ધરાવનાર પ્રૂફરીડરો એ સંસ્થામાં હતા. પત્રકારત્વના તમામ ક્ષેત્રનાં ધોરણ કથળ્યાં છે પણ હજી પ્રૂફરીડિંગનું ધોરણ મહદંશે જળવાયું છે. જન્મભૂમિના હાલના ન્યૂઝ એડિટર વ્રજલાલ વસાણી એક જમાનામાં પ્રૂફરીડર હતા. 1967માં હું મલેશિયાથી મુંબઈ આવ્યો ત્યારે ગણ્યાંગાંઠ્યા જૂના કાટલાં જેવા લેખકો જોડણી અને વ્યાકરણ ઉપર ખૂબ ધ્યાન આપતા. આ બધા પોતાની જ મોજ ખાતર લખતા.

મેં વાચકને ધ્યાનમાં લઈને જે હાથમાં આવે તે લખવાનું શરૂ કર્યું અને મારે એ જથ્થાબંધ રીતે શરૂ કરવું પડ્યું. એ વખતે સૌથી મોટો સધિયારો કે સહકાર જન્મભૂમિના પ્રૂફરીડરોનો હતો. બુલેટની ઝડપે લખાયેલા લેખોના વ્યાકરણ કે જોડણીના દોષો પ્રૂફરીડરો સુધારી લેતા. આવી સ્પીડ માટે હું હંમેશાં પ્રૂફરીડરોનો જ ઋણી રહ્યો છું.

Related Posts

Top News

ફડણવીસ સરકાર વિરુદ્ધ કોર્ટમાં જશે કોન્ટ્રાક્ટરો! 89000 કરોડ રૂપિયાનું પેમેન્ટ ફસાયું

મહારાષ્ટ્ર સરકાર દ્વારા બિલોની ચૂકવણીને લઈને હવે કોન્ટ્રાક્ટરોની ધીરજ ખૂંટી ગઈ છે. રાજ્યના કોન્ટ્રાક્ટરોએ ભાજપની આગેવાનીવાળી મહાયુતિ સરકાર સામે મોર્ચો...
National 
ફડણવીસ સરકાર વિરુદ્ધ કોર્ટમાં જશે કોન્ટ્રાક્ટરો! 89000 કરોડ રૂપિયાનું પેમેન્ટ ફસાયું

મહિનામાં 4 વખત મળ્યા શરદ પવાર-DyCM અજિત પવાર; શું મહારાષ્ટ્રમાં BJPનું ટેન્શન વધશે?

મહારાષ્ટ્રમાં આ દિવસોમાં ઘણી રાજકીય ગતિવિધિઓ ચાલી રહી છે. એક તરફ, એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ઉદ્ધવ...
National 
મહિનામાં 4 વખત મળ્યા શરદ પવાર-DyCM અજિત પવાર; શું મહારાષ્ટ્રમાં BJPનું ટેન્શન વધશે?

'એક મંદિર, એક કૂવો, એક સ્મશાન'નો સંદેશ, મોહન ભાગવતે કરી જાતિવાદથી ઉપર ઉઠવાની અપીલ

RSS પ્રમુખ મોહન ભાગવતે જાતિય ભેદભાવનો અંત લાવીને સામાજિક એકતા બનાવવાની અપીલ કરી છે. પાંચ દિવસની અલીગઢની મુલાકાત દરમિયાન 'સ્વયંસેવકો'ને...
National 
'એક મંદિર, એક કૂવો, એક સ્મશાન'નો સંદેશ, મોહન ભાગવતે કરી જાતિવાદથી ઉપર ઉઠવાની અપીલ

શું ગુજરાતના 'પાટીલ'ની જેમ મહારાષ્ટ્રમાં ક્યારેય 'પટેલ' પ્રદેશ પ્રમુખ બનશે?

હાલમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળે તેની અટકળો ચાલી રહી છે. હાલના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ટર્મ પૂરી થઇ...
Opinion 
શું ગુજરાતના 'પાટીલ'ની જેમ મહારાષ્ટ્રમાં ક્યારેય 'પટેલ' પ્રદેશ પ્રમુખ બનશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.