રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

On

હાલમાં લોકોનું ધ્યાન ભગવાનના દર્શન કરવા પર છે, તેઓ સતત અયોધ્યા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં આ દિવસોમાં દર્શન માટે ભક્તોની ખુબ લાંબી લાઈનો નજરે પડી રહી છે. અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા એક મહિનાથી એક નવા પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તે સમસ્યા રામ મંદિરમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓના જૂતા અને ચંપલના નિકાલની છે. દરરોજ, મંદિરના પ્રવેશદ્વાર પરથી JCBની મદદથી લાખો જૂતા અને ચંપલ એકત્રિત કરવામાં આવે છે. પછી તેમને ટ્રોલીમાં ભરીને 4-5 કિલોમીટર દૂર એક જગ્યાએ ફેંકી દેવામાં આવે છે.

આ પાછળનું કારણ ભીડ વ્યવસ્થાપન માટેના નિયમોમાં કરાયેલા ફેરફારને આભારી છે. હકીકતમાં, રામ મંદિરનો દ્વાર 1એ રામ પથ પર સ્થિત પ્રવેશદ્વાર છે. ભક્તોને તેમના બુટ ચપ્પલ અહીં જમા કરાવવા માટે કહેવામાં આવતું હોય છે. મંદિર પરિસરમાં અડધો કિલોમીટર ચાલ્યા પછી, લોકોને બુટ ચપ્પલ લેવા માટે તે જ દરવાજા પર પાછા ફરવું પડે છે.

50

પરંતુ ભીડને નિયંત્રિત કરવા માટે, અયોધ્યા વહીવટીતંત્રે લોકોને ગેટ 3 અને બીજા અન્ય દરવાજાઓમાંથી બહાર નીકળવાની સૂચના આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, અહીંથી તેમને તેમના બુટ ચપ્પલ પાછા લેવા માટે ગેટ નંબર 1 પર પાછા આવવું પડતું હોય છે. આ રીતે લોકોને લગભગ 5-6 કિલોમીટર ચક્કર મારવું પડે છે. અધિકારીઓ કહે છે કે, ઘણા લોકો મંદિરમાંથી બહાર નીકળીને બુટ ચપ્પલ ત્યાં જ છોડીને ખુલ્લા પગે નીકળી જાય છે.

Ram Mandir
dainiktribuneonline.com

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ આ અંગે એક સમાચાર એજન્સી સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, મહાકુંભને કારણે મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. તેમણે કહ્યું, 'છેલ્લા 30 દિવસથી વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેથી ભક્તોની અણધારી ભીડ કોઈપણ અંધાધૂંધી વિના સરળતાથી દર્શન કરી શકે. મંદિર સંકુલનો ગેટ નંબર 3 ખોલી નાખવામાં આવ્યો છે. મંદિરમાં દર્શન કર્યા પછી, ભક્તોને આ દરવાજામાંથી બહાર નીકાળવામાં આવી રહ્યા છે.'

Ram Mandir
machismedianews.com

અનિલ મિશ્રાએ વધુમાં જણાવ્યું કે, દર્શન કર્યા પછી, ભક્તો શ્રી રામ હોસ્પિટલથી આગળ નીકળી જાય છે. રામ પથ પર એક તરફી રસ્તો હોવાને કારણે, ભક્તોને જ્યાં બુટ ચપ્પલ રાખ્યા હોય છે તે જગ્યા સુધી પહોંચવા માટે ફરીથી 5-6 કિલોમીટર ચાલવું પડે છે. આ જ કારણ છે કે, ગેટ નંબર એક પર બુટ અને ચંપલનો ઢગલો છે.

કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દરરોજ લાખો દાવા વગરના બુટ અને ચપ્પલ દૂર કરી રહ્યું છે, તેમને JCB મશીનોનો ઉપયોગ કરીને એકત્રિત કરી રહ્યું છે અને ટ્રોલી પર નાખીને બહાર ફેંકી દેવામાં આવે છે.

Related Posts

Top News

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કહે છે કે, છેલ્લા કેટલાક મહિનામાં સમયનું ચક્ર તેના માટે સંપૂર્ણ 360 ડિગ્રીનો વળાંક...
Sports 
IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?

વકફ બિલને લઈને રસ્તાઓ પર લડાઈ શરૂ થઈ ગઈ છે. સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને વક્ફ...
National 
સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી

ગુજરાત અને નવરાત્રી એક બીજાના પર્યાય છે. ‘જ્યા જ્યા ગુજરાતી, ત્યાં ત્યાં નવરાત્રી!’ અને હવે, એ પરંપરાને એક નવો રંગ,...
Gujarat 
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.