'બ્લુ ડ્રમ' કેસ પછી ડરેલો પતિ ધરણા પર બેઠો, 'મારી પત્નીના 4 બોયફ્રેન્ડ, મને બચાવો'

છેલ્લા કેટલાક દિવસોમાં, દેશના વિવિધ રાજ્યોમાંથી એવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યાં પત્ની અને તેના પ્રેમીએ તેમના પતિની હત્યા કરી હતી. આ દરમિયાન, ગ્વાલિયરથી એક પીડિત પતિની દર્દનાક વાર્તા સામે આવી છે. UPના મેરઠમાં 'બ્લુ ડ્રમ મર્ડર' પછી, ગ્વાલિયરમાં એક વ્યક્તિએ ચાર રસ્તાની વચ્ચે ધરણા પર બેસીને કહ્યું કે, તેને તેની પોતાની પત્નીથી જ જીવનું જોખમ છે. તેણે પોલીસ તેમજ CMને ન્યાય માટે અપીલ કરી છે. ધરણા પર બેઠેલો યુવક એક કાગળ પણ બતાવી રહ્યો છે, જેમાં તેણે તેની પત્ની પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે અને ડર વ્યક્ત કર્યો છે કે તે તેને મારી નાખશે. યુવકે એવો પણ આરોપ લગાવ્યો છે કે તેની પત્નીના 3-4 બોયફ્રેન્ડ છે.

Husband, Dharna, Gwalior
amarujala.com

તે યુવાન હાથમાં કાગળ લઈને બેઠો છે, જેના પર લખ્યું છે... 'મુખ્યમંત્રી, કૃપા કરીને મારી પત્નીને સજા અપાવો. તેણે મને દગો આપ્યો છે. મારા દીકરાની હત્યા કરી છે. તે મારી હત્યા પણ કરાવી શકે છે. તાજેતરમાં, દેશમાં ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યાં પત્ની, તેના બોયફ્રેન્ડ સાથે મળીને, પતિની હત્યા કરાવે છે અને મારી પત્નીના પણ 3-4 બોયફ્રેન્ડ છે.'

Husband, Dharna, Gwalior
bhaskar.com

ફરિયાદી યુવકનું નામ અમિત કુમાર સેન છે. તે ગ્વાલિયરના જનકપુરી વિસ્તારનો રહેવાસી છે. તે કહે છે કે, તેની પત્નીને ત્રણથી ચાર પ્રેમીઓ છે. હાલમાં તે રાહુલ બાથમ નામના વ્યક્તિ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે. અમિતે આરોપ લગાવ્યો કે, તેની પત્ની અને તેના પ્રેમીએ મળીને તેના મોટા પુત્ર હર્ષની હત્યા કરાવી અને તેની પત્ની તેના નાના પુત્રને પણ પોતાની સાથે લઈ ગઈ છે. અમિતે ડર વ્યક્ત કર્યો છે કે, મેરઠના 'બ્લુ ડ્રમ મર્ડર કેસ'ની જેમ મારી પણ હત્યા થઈ શકે છે, કારણ કે મારી પત્નીનો પ્રેમી મને સતત મારી નાખવાની ધમકી આપી રહ્યો છે.

Husband, Dharna, Gwalior
bhaskar.com

અમિતે કહ્યું છે કે, તેણે ઘણી વખત પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે તેને ન્યાય ન મળ્યો, ત્યારે તેઓ ફૂલબાગ ક્રોસિંગ પર CM મોહન યાદવના પોસ્ટર હેઠળ ધરણા પર બેઠા અને સુરક્ષાની માંગ કરી રહ્યો છે.

બીજી તરફ, જનકગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિપિન સિંહ ચૌહાણે જણાવ્યું કે, હાલમાં તેમને આ મામલે કોઈ ફરિયાદ મળી નથી. જો ફરિયાદ પહેલા નોંધાઈ હોય, તો તેની તપાસ કરવામાં આવશે. પોલીસે ખાતરી આપી હતી કે, ફરિયાદ મળ્યા પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું, પરંતુ રોહિત શર્માએ 3 મેચમાં બનાવ્યા 21 રન

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025 માં, મુંબઈ ઈન્ડિયન્સે (MI)સતત બે હારનો સામનો કર્યા પછી પ્રથમ જીત હાંસલ કરી છે. 31...
Sports 
મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું, પરંતુ રોહિત શર્માએ 3 મેચમાં બનાવ્યા 21 રન

ઈદના દિવસે ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીએ અનેક શહેરોના નામ બદલી નાખ્યા, ઔરંગઝેબપુર થઇ જશે શિવાજીનગર અને મિયાંવાલા...

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરિદ્વાર, દેહરાદૂન, નૈનીતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લાઓમાં ઘણી જગ્યાઓના નામ બદલી દીધા...
National  Politics 
ઈદના દિવસે ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીએ અનેક શહેરોના નામ બદલી નાખ્યા, ઔરંગઝેબપુર થઇ જશે શિવાજીનગર અને મિયાંવાલા...

ધનવાન સાંસદોને પ્રજાના પૈસે પગારભથ્થામાં વધારો શું કામ? 

ભારત એક લોકશાહી પ્રધાન દેશ છે જ્યાં નાગરિકો પોતાના મતના અધિકારથી સ્થાનિક નેતાઓથી લઈને વિધાનસભા અને લોકસભાના સદસ્યોને ચૂંટે છે....
Opinion 
ધનવાન સાંસદોને પ્રજાના પૈસે પગારભથ્થામાં વધારો શું કામ? 

ગરીબ કેમ હંમેશાં 'ગરીબ' રહી જાય છે? રોબર્ટ કિયોસાકીએ કહ્યું- FOMO છે કારણ

કોણ અમીર બનવા નથી માગતું, પરંતુ દરેક વ્યક્તિ લક્ષ્ય સુધી પહોંચે એ જરૂરી નથી. બચત, રોકાણ અને વળતર...
World 
ગરીબ કેમ હંમેશાં 'ગરીબ' રહી જાય છે? રોબર્ટ કિયોસાકીએ કહ્યું-  FOMO છે કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.