હાઈકોર્ટે જજને 3 મહિનાની તાલીમ માટે મોકલ્યા, કહ્યું- ચુકાદો લખવા માટે યોગ્ય નથી

અલ્હાબાદ હાઈકોર્ટે ન્યાયિક અધિકારી પાસે ચુકાદો લખવાની ક્ષમતા ન હોવાના મુદ્દાને ગંભીરતાથી લીધો છે. ત્યાર પછી હાઈકોર્ટે કાનપુર નગરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અમિત વર્માને ત્રણ મહિનાની તાલીમ માટે જ્યુડિશિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં મોકલી આપ્યા છે.

હાઈકોર્ટે કહ્યું કે, કાનપુરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અમિત વર્મા પાસે કોર્ટનો ચુકાદો લખવાની ક્ષમતા નથી. આદેશ આપતી વખતે તેઓ કારણો અને નિષ્કર્ષનો ઉલ્લેખ પણ કરતા નથી. તેથી, તેમને ત્રણ મહિનાની તાલીમ માટે મોકલી આપવાની સૂચના આપવામાં આવી છે. હાઈકોર્ટે રજિસ્ટ્રાર જનરલને નિર્દેશ આપ્યો છે કે, તેઓ ડૉ. વર્માને તાલીમ માટે મોકલવા માટે ચીફ જસ્ટિસ પાસેથી પરવાનગી લઇ લે.

Allahabad-High-Court1
statemirror.com

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાઈકોર્ટના ન્યાયાધીશે કહ્યું કે, ADJનો આવો જ એક આદેશ પહેલા પણ રદ કરવામાં આવ્યો છે. તે પછી પણ તેમણે આવી ભૂલ વારંવાર કરી છે. જે દર્શાવે છે કે તેમને તાલીમની સખત  જરૂર છે. મુન્ની દેવી વિરુદ્ધ શશિકલા પાંડેની અરજીની સુનાવણી કરતી વખતે હાઇકોર્ટ જસ્ટિસ નીરજ તિવારીએ આ આદેશ આપ્યો હતો.

કાનપુર શહેરની રહેવાસી મુન્ની દેવીએ જ્યારે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો ત્યારે તેમણે કદાચ કલ્પના પણ નહીં કરી હોય કે તેમનો કેસ આટલા મોટા પરિવર્તનનું કારણ બનશે. 2013માં, કાનપુરની એક મહિલા મકાનમાલિક શશિકલા પાંડેએ ભાડાની વસૂલાત અને મકાન ખાલી કરાવવા અંગે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં કોર્ટે 29 ફેબ્રુઆરી 2024ના રોજ મુન્ની દેવી વિરુદ્ધ આદેશ આપ્યો હતો.

મુન્ની દેવીએ આ નિર્ણય સામે રિવિઝન અરજી દાખલ કરી હતી, જેને 7 નવેમ્બર 2024ના રોજ ADJ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. આ આદેશને હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને પડકારવામાં આવ્યો હતો.

District-Court-Kanpur-Nagar
kanpurnagar.dcourts.gov.in

જેમાં કહેવામાં આવ્યું હતું કે, આદેશના કારણો અને નિષ્કર્ષ આપવામાં આવ્યા નથી. ન્યાયાધીશે ન્યાયિક વિવેકાધિકારનો ઉપયોગ કર્યો નથી. 17 ડિસેમ્બર, 24ના રોજ, હાઈકોર્ટે ADJનો આદેશ રદ કર્યો અને નવા આદેશની ફાઇલ નીચલી કોર્ટમાં મોકલી આપી હતી.

આ દરમિયાન, અરજદારે રિવિઝન અરજીમાં નવા આધારો ઉમેરવા માટે સુધારા અરજી દાખલ કરી. જેને ADJ દ્વારા 1 માર્ચ 2025ના રોજ કોઈપણ કારણ આપ્યા વિના રદ કરવામાં આવ્યું હતું. જેને પછી હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

મહિલાએ કહ્યું કે ADJ અમિત વર્માએ અગાઉના આદેશમાં જે ભૂલ કરી હતી, તે જ ભૂલ તેમણે આ આદેશમાં પણ કરી છે. તેથી ઓર્ડર રદ કરવો જોઈએ. જેના પર કોર્ટે કહ્યું કે, જજ વર્મામાં ચુકાદો લખવાની ક્ષમતા નથી, તેથી તેમને તાલીમ આપવી જોઈએ.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.