ક્રિક્રેટ તો ક્રિકેટ રાજકારણમાંથી પણ અંબાતી રાયડુનો U-ટર્ન, 9 દિવસમાં જ....

On

ટીમ ઇન્ડિયાના પૂર્વ બેસ્ટમેન અંબાતી રાયડુએ જે રીતે ક્રિક્રેટમાં નિવૃતિની જાહેરાત પછી U ટર્ન માર્યો હતો એવી જ રીતે હવે રાજકારણમાં પણ U ટર્ન મારીને બધાને ચોંકાવી દીધા છે. હજુ તો નવ દિવસ પહેલા જ આંધ્રપ્રદેશની એક રાજકીય પાર્ટી સાથે રાજકીય ઇનિંગની શરૂઆતની જાહેરાત કરનાર અંબાતી રાયડુએ આ પાર્ટીને રામ રામ કરી દીધા છે. રાયડુએ પોતે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે આ પાર્ટી હું છોડી રહ્યો છું, પરંતુ તેણે પાર્ટી છોડવાનું કારણ જણાવ્યું નથી.

ટીમ ઇન્ડિયાનો પૂર્વ બેસ્ટમેન અંબાતી રાયડુએ 9 દિવસ પહેલાં આંધ્રપ્રદેશની સત્તારૂઢ પાર્ટી YSR કોંગ્રેસ જોઇન કરી હતી અને મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડી સાથેની તસ્વીરો વાયરલ થઇ હતી.

અંબાતી રાયડુએ X પ્લેટફોર્મ પર લખ્યું છે કે, હું બધાને જણાવવા માંગુ છું કે મેં YSR કોંગ્રેસ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. હું થોડા સમય રાજનીતિથી દુર રહેવા માંગુ છું. આગામી નિર્ણય સમય સાથે લઇશ.રાયડુએ તો પાર્ટી છોડવાનું કારણ જણાવ્યું નથી, પરંતુ લોકો કમેન્ટમાં પોત પોતાની રીતે કારણો જણાવી રહ્યા છે.

કેટલાંક લોકોએ કમેન્ટમાં લખ્યું કે પાર્ટીનો ભ્રષ્ટાચાર જોઇને રાયડુએ નિર્ણય લીધો, તો કોઇકે લખ્યુ કે, ક્રિક્રેટરોએ રાજકારણથી દુર રહેવું જોઇએ. કેટલાંક ચાહકોએ કહ્યું કે રાજકારણ છોડીને અંબાતીએ ફરી IPLમાં આવી જવું જોઇએ.

જો કે અંબાતી રાયડુએ આવું પહેલીવાર નથી કર્યું. અંબાતીએ વર્ષ 2019માં વર્લ્ડકપ ટીમમાં સામેલ ન થવા પર ક્રિક્રેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. પરંતુ થોડા જ સમયમાં અંબાતી રાયડુએ U- ટર્ન લીધો હતો અને IPLમાં રમવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તે વખતે અંબાતી રાયડુ CSK માટે રમ્યો હતો.

રાયડુએ ભારત માટે 55 વન-ડે અને 6 T-20 રમી છે. વન-ડેમાં તેણે 1694 રન બનાવ્યા હતા, જમાં 3 સદી અને 10 હાફ સેન્ચુરી સામેલ છે. જ્યારે T-20માં માત્ર 42 રન જ બનાવ્યા છે.

રાયડુએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું અને ઈન્ડિયન પ્રીમિયર લીગ માં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રાયડુએ ચેન્નાઈને IPL 2023ની ફાઈનલ જીતવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. મોહિત શર્માની એક ઓવરમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારીને રાયડુએ મેચ CSK તરફ વાળ્યો અને પછી છેલ્લી ઓવરમાં જાડેજાએ મેચ જીતીને CSKને પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યું હતું.

Related Posts

Top News

દિલ્હીના CM રેખા ગુપ્તા કેમ કરવા લાગ્યા કેજરીવાલના વખાણ? આતિશીને આપી નાખી સલાહ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા આમ તો આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કરે છે. પરંતુ સોમવારે તેમણે...
National  Politics 
દિલ્હીના CM રેખા ગુપ્તા કેમ કરવા લાગ્યા કેજરીવાલના વખાણ? આતિશીને આપી નાખી સલાહ

હાર્દિક પર પ્રતિબંધ, બુમરાહને ઈજા...આ 3 ખેલાડી IPL 2025ની શરૂઆતની મેચમાંથી બહાર રહેશે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી, ભારતીય ટીમના ખેલાડીઓ IPLની 18મી સીઝનની તૈયારી કરી રહ્યા છે. IPL 2025 22...
Sports 
હાર્દિક પર પ્રતિબંધ, બુમરાહને ઈજા...આ 3 ખેલાડી IPL 2025ની શરૂઆતની મેચમાંથી બહાર રહેશે

ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

ગુજરાતના લોકોને ગેરકાયદે અમેરિકામા ઘુસાડવાના નેટવર્કના માસ્ટર માઇન્ડ ગણાતા ‘બાબુજી’ને કેનેડાની પોલીસ શોધી રહી છે. કેનડામાં આ...
National 
ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી આમ આદમી પાર્ટીએ ગોવા અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં, ...
Gujarat 
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati