ગુજરાતમાં CM કેજરીવાલની મોટી જાહેરાત, આ સીટ પર જાહેર કરી દીધા લોકસભાના ઉમેદવાર

On

ભરૂચમાં આજે CM અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણી માટે ભરૂચની સીટ પર ઉમેદવારના નામની જાહેરાત કરતા CM અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દોસ્તો, આજે હું એલાન કરવા માગું છું, આમ આદમી પાર્ટી તરફથી આવનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ સીટથી ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, જ્યાં ભરૂચમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની ઊંધી ગણતરી ચાલુ થઈ ગઈ છે. ભાજપ આદિવાસી સમાજની વિરુદ્ધ છે. છેલ્લા 30 વર્ષોમાં ભાજપે આદિવાસી સમાજને કંઈ ન આપ્યું નથી.

ભરૂચમાં સભાને સંબોધિત કરતા CM કેજરીવાલે કહ્યું હતું કે, આજે અમે બધુ કામ છોડીને તમને લોકોને મળવા આવ્યા છીએ. કાલે અમે જેલમાં ચૈતર વસાવાને મળવા જઈશું. તમારા દીકરાની ધરપકડ કરી લેવામાં આવી છે. આદિવાસી સમાજના નેતાની ધરપકડ કરી લેવામાં આવી છે. ચૈતર વસાવા મારા નાના ભાઈ જેવા છે. આમ આદમી પાર્ટી અમારો એક પરિવાર છે. પરંતુ સૌથી મોટી દુખીની વાત એ છે કે, ચૈતર વસાવાની પત્નીની પણ આ લોકોએ ધરપકડ કરી લીધી ચે. શકુંતલાબેન ચૈતર વસાવાના પત્ની છે, પરંતુ આપણા સમાજના વહુ છે. આ લોકોએ આપણા સમાજની વહુની ધરપકડ કરી લીધી છે. આ આખા આદિવાસી સમાજ માટે અપમાનની વાત છે. હું તમને લોકોને પૂછવા માગું છું કે, શું આ અપમાનનો બદલો લેશો કે નહીં?

CM કેજરીવાલે કહ્યું કે, જૂના જમાનામાં ડાકૂઓ હતા, એ ડાકૂઓનો ઈમાન ધર્મ હતો. કોઈ ગામમાં ધાડ મારવા જાય તો તેઓ ગામની દીકરીઓને નહોતા છેડતા. ભાજપ વાળા ડાકૂઓથી ખરાબ છે. તેમણે આપણી વહુની ધરપકડ કરીને આદિવાસી સમાજનું અપમાન કર્યું છે.

ભરૂચમાં સભાને સંબોધિત કરતા પહેલા તેમણે ટ્વીટ પણ કરી હતી કે, આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા એક ખૂબ જ લોકપ્રિય આદિવાસી નેતા છે. તેમને અને તેમની પત્નીને ભાજપની ગુજરાત સરકારે એક ખોટા કેસમાં કેટલાય દિવસોથી જેલમાં નાખ્યા છે. આજે હું અને ભગવંત માન ગુજરાત જઈ રહ્યા છીએ. તેમના વિસ્તારમાં લોકોથી મળીશું અને કાલે અમે તેમને જેલમાં મળવા જઈશું.

Related Posts

Top News

ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

ગુજરાતના લોકોને ગેરકાયદે અમેરિકામા ઘુસાડવાના નેટવર્કના માસ્ટર માઇન્ડ ગણાતા ‘બાબુજી’ને કેનેડાની પોલીસ શોધી રહી છે. કેનડામાં આ...
National 
ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી આમ આદમી પાર્ટીએ ગોવા અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં, ...
Gujarat 
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

સુરત શહેરની ઓળખ એટલે સ્વાદિષ્ટ ખાણીપીણી અને જીવંત સંસ્કૃતિ. કહેવત છે “સુરતનું જમણ ને કાશીનું મરણ,” અને આ કહેવત સુરતની...
Gujarat 
સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં શનિવારે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરનને કઠુઆ જિલ્લામાં જમીન ફાળવવાનો મુદ્દો ઉઠ્યો હતો. કેટલાક ધારાસભ્યોએ સરકારના...
National  Politics 
મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati