ભારતના આ રાજ્યમાં કચરો ઉઠાવતા જોવા મળ્યા વિદેશી ટૂરિસ્ટ, વીડિયો વાયરલ

ભારતના ઘણા રાજ્યો અને શહેરોમાં સ્વચ્છતા એક મોટી સમસ્યા છે. અહીં રોડ, રેલવે ટ્રેક, દરિયાકિનારા અને પર્વતો પર પણ બેદરકારીપૂર્વક કચરો ફેંકી દેવામાં આવે છે. એવામાં, ક્યારેક ક્યારેક કોઈકનું નાનું કામ પણ હૃદય સ્પર્શી લે તેવો ઈશારો કરતું હોય છે. જે આપણને આપણી આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવાના મહત્ત્વની યાદ અપાવે છે. પરંતુ વિદેશી પર્યટક કચરો ઉપાડે અને સ્થાનિક પર્યટકો જોતા રહે એ તો શરમની વાત થઈ.

Foreign-Tourists1
thelallantop.com

 

હાલમાં જ, ઉત્તર સિક્કિમમાં યુમથાંગ વેલીની મુલાકાત દરમિયાન, ડેનમાર્કના 2 પર્યટક રસ્તાના કિનારે કચરો ઉઠાવતા જોવા મળ્યા હતા. એક જવાબદાર પ્રવાસી હોવાને કારણે જે રીતે આ બંને રસ્તાઓ પર ફેલાયેલા કચરાને ઉઠાવી ઉઠાવીને પ્લાસ્ટિકની કોથળીમાં ભરી રહ્યા હતા, તેમના કામે ઘણા લોકોને પ્રભાવિત કર્યા છે. તેનાથી સ્થાનિક લોકો અને સાથી પર્યટકો બંનેને પ્રેરણા મળી છે.

વાયરલ વીડિયોની થઈ રહી છે ચર્ચા 

ઇન્સ્ટાગ્રામ પર @sikkimdiaries.com દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે કે, ડેનમાર્કના 2 પર્યટક ઉત્તર સિક્કિમમાં યુમથાંગ વેલીના માર્ગ પર કચરો ઉઠાવતા જોવા મળ્યા. વિસ્તારની સફાઈ કરવાના તેમના કામે સાથી પર્યટકો અને સ્થાનિક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. વીડિયોમાં બંને પર્યટક ખૂબ મહેનતથી ફેંકવામાં આવેલા કચરાને ભેગો કરીને નાગરિક જવાબદારીનું ઉદાહરણ રજૂ કરતા જોવા મળે છે. તેમની પહેલ બતાવે છે કે કેવી રીતે નાના નાના પ્રયાસ ટૂરિસ્ટ પ્લેસની પ્રાકૃતિક સુંદરતાને બનાવી રાખવામાં યોગદાન આપી શકે છે.

Foreign-Tourists
aajtak.in

 

સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા

આ વીડિયો પર ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. યુઝર્સે વિદેશી પ્રવાસીઓના ખૂબ વખાણ કર્યા છે. એક યુઝરે લખ્યું છે કે, સ્થાનિક લોકોના રૂપમાં આપણે તેમની પાસેથી શીખવું જોઈએ. જો આપણે આપણા વિસ્તારોને સ્વચ્છ રાખવામાં થોડું પણ યોગદાન આપીએ તો આપણે શ્રેષ્ઠ ટૂરિસ્ટ પ્લેસ બની શકીએ છીએ. અન્ય એક યુઝરે આ જ ભાવનાનું પુનરાવર્તન કરતા લખ્યું કે આ આપણા માટે શરમજનક વાત છે.

Related Posts

Top News

ATMમાંથી પૈસા ઉપાડવાનું થશે હવે મોંઘુ, RBIએ 2 રૂપિયા ચાર્જ વધાર્યો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નોટિફિકેશન જારી કરીને ATM ટ્રાન્ઝેકશમાં ઇન્ટરેચેંજ ફી વધારવાના નિર્ણયની જાહેરાત કરી છે જે 1 મે...
Business 
ATMમાંથી પૈસા ઉપાડવાનું થશે હવે મોંઘુ, RBIએ 2 રૂપિયા ચાર્જ વધાર્યો

‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે શનિવારે એક સાથે ચૂંટણી કરાવવા પર ભાર...
National  Politics 
‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર

ઓડિશાના સીનિયર IAS અધિકારી સુજાતા કાર્તિકેયને વોલન્ટરી રિટાયરમેન્ટ (VRS) લઇ લીધું છે. કેન્દ્ર સરકારે તેમની દરખાસ્ત મંજૂર કરી લીધી...
National 
કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર

રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’

કોમેડિયન અને બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકી ઘણીવાર તેમના કોમેડી અને બેફામ નિવેદનો માટે સમાચારમાં રહે છે. તે...
Entertainment 
રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’
Copyright (c) Khabarchhe All Rights Reserved.