પંજાબ સરકારની બુલડોઝર કાર્યવાહી પર AAPના જ બે નેતા હરભજન-સોમનાથ ભારતી આમને-સામને થયા

પંજાબ સરકારની 'બુલડોઝર એક્શન' પર આમ આદમી પાર્ટીના નેતાઓમાં મતભેદો સામે આવ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને AAP સાંસદ હરભજન સિંહે કહ્યું છે કે, ડ્રગ્સ વેચવા બદલ કોઈનું ઘર તોડી પાડવું એ સારો વિકલ્પ નથી. તે આના પક્ષમાં નથી. પરંતુ AAP નેતા સોમનાથ ભારતીએ તેમના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે.

સોમનાથ ભારતીએ હરભજનને પૂછ્યું છે કે, શું તેઓ ડ્રગ માફિયાનો પક્ષ લઈ રહ્યો છે. મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, તેમણે કહ્યું કે ડ્રગ માફિયાઓએ લાખો પરિવારોને બરબાદ કરી દીધા છે. આવી સ્થિતિમાં, હરભજન સિંહ દ્વારા માફિયાઓના પક્ષમાં નિવેદન આપવું બિલકુલ ખોટું છે. સોમનાથ ભારતીએ હરભજન સિંહ પર નિશાન સાધતા કહ્યું, 'આ ડ્રગ માફિયાઓએ આપણા ગુરુઓની ભૂમિને બરબાદ કરી દીધી છે. આધ્યાત્મિક ભૂમિને ડ્રગ્સની ભૂમિમાં પરિવર્તિત કરી દેવામાં આવી છે. આ માટે જવાબદાર લોકોને કડક સજા મળવી જોઈએ. તમે એક યુવા પ્રતિભા છો. આવી સ્થિતિમાં, તમારે પંજાબના યુવાનોને બચાવવા માટે કંઈક કહેવું અને કરવું જોઈએ. પણ તમારું નિવેદન આનાથી વિપરીત છે.'

Somnath-Bharti
aajtak.in

સોમનાથ ભારતીએ વધુમાં કહ્યું, 'આપણે આપણી સરકારના જાહેર નિવેદનો અથવા કાર્યોની વિરુદ્ધ કંઈપણ કહેવાનું સખતપણે ટાળવું જોઈએ. આપણી પાર્ટીમાં પૂરતી લોકશાહી છે. તમારે આપણી પાર્ટીના નેતૃત્વને આવું કંઈ કહેવું જોઈતું હતું. જાહેરમાં નહીં. અમે બધાએ તમને દેશના હીરો તરીકે જોયા છે. એટલા માટે હું આનાથી વધુ કંઈ કહી રહ્યો નથી.'

હકીકતમાં, પંજાબ સરકાર 'ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ' અભિયાન ચલાવી રહી છે. સરકારનો દાવો છે કે આ અંતર્ગત ડ્રગ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન, આ માફિયાઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે. હરભજન સિંહે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, 'જો કોઈ ડ્રગ્સ વેચે છે, તો તેનું ઘર તોડી પાડવામાં આવી રહ્યું છે. હું આના પક્ષમાં નથી. એ કોઈના કુટુંબનો આસરો છે. મને લાગે છે કે ઘર તોડી પાડવું એ સારો વિકલ્પ નથી. સરકાર બીજો કોઈ રસ્તો પણ શોધી શકે છે.'

Harbhajan
aajtak.in

હરભજન સિંહ કહે છે કે, જો કોઈ સરકારી જમીન પર આવું કરતુ હોય તો તે અલગ વાત છે. તો પછી આવી કાર્યવાહી માન્ય છે. ખબર નહીં કે કોઈ વ્યક્તિએ એ ઘર કેવી રીતે બનાવ્યું હશે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહુર્ત તારીખ - 24-08-2025વાર- રવિવારઆજની રાશિ સિંહ ચોઘડિયા, દિવસઉદ્વેગ  06:21 - 07:56ચલ  07:56 - 09:31...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

MLAની ઉગ્ર દલીલ પર ડોક્ટરે ગુસ્સે થઈ કહ્યું, 'તમારા જેવા ઘણા આવ્યા અને ગયા';  હું રાજીનામું આપી દઈશ

ઉત્તર પ્રદેશના ગાઝીપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધારાસભ્ય અને ડોક્ટર વચ્ચે ઉગ્ર દલીલ થઈ....
National 
MLAની ઉગ્ર દલીલ પર ડોક્ટરે ગુસ્સે થઈ કહ્યું, 'તમારા જેવા ઘણા આવ્યા અને ગયા';  હું રાજીનામું આપી દઈશ

સુનિતા આહૂજાએ છૂટાછેડા માટે આપી અરજી, ગોવિંદા પર લગાવ્યા ગંભીર આરોપ

બોલિવુડના હીરો નંબર વન ગોવિંદાને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ગોવિંદની પત્ની સુનિતા આહૂજાએ કોર્ટમાં...
Entertainment 
સુનિતા આહૂજાએ છૂટાછેડા માટે આપી અરજી, ગોવિંદા પર લગાવ્યા ગંભીર આરોપ

ભાવનગરની એક શાળાના નાટકમાં છોકરીઓને બુરખામાં બતાવતા વિવાદ વધ્યો! જાણો આખો મામલો

ગુજરાતના ભાવનગર શહેરમાં એક વીડિયો વાયરલ થયા પછી વિવાદ વધી ગયો છે, આ વીડિયોમાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ...
Gujarat 
ભાવનગરની એક શાળાના નાટકમાં છોકરીઓને બુરખામાં બતાવતા વિવાદ વધ્યો! જાણો આખો મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.