સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે. સંભલ અને કાનપુરની જામા મસ્જિદ કમિટીએ નિર્ણય કર્યો છે કે 14 માર્ચ, 2025ના રોજ બપોરે 2.30 વાગ્યે શુક્રવારની નમાજ અદા કરવામાં આવશે.

Jumma-Namaz1
zeenews.india.com

સંભલ જામા મસ્જિદ કમિટીના સદર એડવોકેટ ઝફર અલીએ જાહેરાત કરી હતી કે શહેરમાં શાંતિ અને ભાઈચારો જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.  તેમણે હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયોને સૌહાર્દ અને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

1615628922holi

નમાજ બપોરે 2.30 કલાકે અદા કરવામાં આવશે

દરેક ધર્મના લોકોએ તેમના તહેવારો અને ધાર્મિક કાર્યો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરે.  જો કોઈ સમસ્યા થાય છે તો તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરે.  એ જ રીતે કાનપુરની જામા મસ્જિદમાં પણ શુક્રવારની નમાજનો સમય બદલીને 2.30 વાગ્યાનો કરવામાં આવ્યો છે.  મસ્જિદ મેનેજમેન્ટે બહાર નોટિસ લગાવીને આ જાણકારી આપી છે.

Jumma-Namaz
tv13gujarati.com

નોટિસમાં લખવામાં આવ્યું છે કે 14 માર્ચે ધૂળેટીને ધ્યાનમાં રાખીને શુક્રવારે બપોરે 2.30 વાગ્યે નમાજ પઢવામાં આવશે.  બધા મુસ્લિમોએ ઘરે રહીને ઈબાદત કરે અને બિનજરૂરી બહાર ન નીકળે.

ધૂળેટી અને શુક્રવારની નમાજ પ્રેમથી ઉજવો

મસ્જિદ કમિટીએ એમ પણ કહ્યું કે જો કોઈ તેના વિસ્તારની મસ્જિદમાં નમાજ અદા કરવા માંગે છે, તો તે ત્યાં પણ જઈ શકે છે.  વહીવટીતંત્ર અને મસ્જિદ કમિટીએ લોકોને અપીલ કરી છે કે, ધૂળેટી અને શુક્રવારની નમાજ પ્રેમ અને સૌહાર્દ સાથે ઉજવીએ.

 

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.