'જો મંદિરોમાં તાકત હોત તો...', સપા નેતાની વિવાદિત ટિપ્પણી, ભાજપ ગુસ્સામાં

સમાજવાદી પાર્ટી (SP)ના નેતાઓને આ શું થઇ ગયું છે? પહેલા રામજી રામે રાણા સાંગા પર વિવાદિત ટિપ્પણી કરી હતી, ત્યારબાદ રાજનીતિક તોફાન ઉભું થઇ ગયું હતું. હવે સપાના મહાસચિવ ઇન્દ્રજીત સરોજ પણ એવા જ માર્ગે નીકળી પડ્યા છે. ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં સપાના આંબેડકર જયંતિ કાર્યક્રમમાં તેમણે મંદિરોને લઇને કંઈક એવું કહી દીધું કે હવે, ભાજપ તેમના પર હુમલવર થઇ ગઇ છે. મંદિરો પર વિવાદિત નિવેદન આપતા તેમણે મંદિરોની તાકત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જો મંદિરોમાં તાકત હોત તો ગઝનવી અને મોહમ્મદ ઘોરી અહીં આવીને દેશને લૂંટીને ન લઇ ગયા હોત. સપાના નેતાએ મુખ્યમંત્રી યોગીનું નામ લીધા વિના તેમના પર પણ કટાક્ષ કર્યો.

Indrajeet Saroj
ndtv.com

 

સપા નેતા પર પ્રહાર કરતા ભાજપે કહ્યું કે, અખિલેશ યાદવના ઈશારા પર સમાજવાદી પાર્ટીના નેતાઓ સતત ખોટા નિવેદનો આપીને રાજ્યનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સપાના રાષ્ટ્રીય મહામંત્રી અને ધારાસભ્ય ઇન્દ્રજીત સરોજે સનાતન ધર્મને ઠેસ પહોંચાડતું વિવાદિત નિવેદન આપ્યું છે, જે તેમની અને તેમની પાર્ટીની હતાશ માનસિકતા દર્શાવે છે. તેમણે પોતાના આ નિવેદન માટે તાત્કાલિક માફી માગવી જોઈએ.

સપાના નેતાએ કહ્યું હતું કે, જો દેશના મંદિરોમાં તાકત હોત તો મોહમ્મદ બિન કાસિમ, મહમૂદ ગઝનવી અને મોહમ્મદ ઘોરી ન આવ્યા હોત અને આ દેશ લૂંટવાનું કામ ન કરવામાં આવ્યું હોત. તેનો મતલબ એ છે કે મંદિરોમાં કોઈ તાકત નહોતી. તાકત તો સત્તાના મંદિરમાં છે, એટલે જ આજે બાબા પોતાનું મંદિર છોડીને સત્તાના મંદિરમાં બિરાજમાન છે.  જે આજે આપણને નકલી હિન્દુ બનાવીને આપણા વોટોની ડીલ કરે છે અને રાજપાઠ લઇને હેલિકોપ્ટરથી ચાલે છે. ઇન્દ્રજીત સરોજ અહીં જ ન અટક્યા, તેમણે તુલસીદાસ પર એક વિવાદિત નિવેદન પણ આપી નાખ્યું.

તુલસીદાસના લેખો પર સવાલ ઉઠાવતા સરોજે કહ્યું કે, તેઓ દલિત શિક્ષણના વિરોધી હતા. દલિતોની તુલના સાંપ સાથે કરી હતી. સપા નેતા ઇન્દ્રજીત સરોજના વિવાદિત નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશના મંત્રી દયાશંકરે કહ્યું કે, મોહમ્મદ ઘોરી અને ઔરંગઝેબ અહીંના ગદ્દારોઓના કારણે ભારત આવ્યા હતા. ગદ્દાર ભારતમાં આજે પણ જીવિત છે. આ જ કારણ છે કે આ લોકો આવી વાતો કરે છે.

Indrajeet Saroj
jansatta.com

 

દયાશંકરે કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને આજે આખી દુનિયા સ્વીકારી રહી છે. લોકો વિદેશોથી ભારત આવીને હરે રામ, હરે કૃષ્ણ કરી રહ્યા છે. ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ કુંભમાં આવીને સ્નાન કર્યું. દુનિયાભરમાંથી લોકો પોતાની મુક્તિ માટે ભારત આવી રહ્યા છે અને ભારતના લોકો આવી વાતો કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.