જો તમે વીમા કંપનીથી આ વાત છૂપાવી તો ક્લેઇમના પૈસા નહીં મળે, સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો

સુપ્રીમ કોર્ટે આરોગ્ય વીમા સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો પોલિસી ધારકો પોલિસી ખરીદતી વખતે તેમની દારૂ પીવાની આદત છુપાવે છે, તો વીમા કંપનીઓ તેમના દાવાને નકારી શકે છે. ભલે મૃત્યુ સીધા દારૂ પીવાથી ન થયું હોય તો પણ.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે જીવન વીમા નિગમ (LIC)ના તે નિર્ણયને સમર્થન આપ્યું હતું, જેમાં તેણે 2013માં પોલિસી લેનાર વ્યક્તિને 'જીવન આરોગ્ય પોલિસી' હેઠળ દાવો આપવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે તેણે એવું બતાવ્યું ન હતું કે તે દારૂ પીવાનો વ્યસની છે. પોલિસી ખરીદ્યાના એક વર્ષની અંદર, પેટમાં તીવ્ર દુખાવાને કારણે તેમને હરિયાણાના ઝજ્જરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એક મહિનાની સારવાર પછી, તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું.

Insurance Claims
hindi.moneycontrol.com

તેમની પત્નીએ તબીબી ખર્ચ માટે વીમાનો દાવો દાખલ કર્યો. પરંતુ LICએ તેને નકારી કાઢ્યું અને કહ્યું કે, મૃતકે તેની દારૂ પીવાની આદત વિશે માહિતી છુપાવી હતી. પોલિસી કંપનીએ દલીલ કરી હતી કે, તેમની પોલિસી સ્પષ્ટપણે વ્યક્તિની પોતાની આદતો, વર્તન અથવા બેદરકારીને કારણે થતી બીમારીઓને આવરી લેતી નથી. આમાં દારૂના વધુ પડતા સેવનથી થતા રોગોનો પણ સમાવેશ થાય છે.

LICના આ નિર્ણય સામે મૃતકની પત્નીએ જિલ્લા ગ્રાહક ફોરમનો સંપર્ક કર્યો. ગ્રાહક ફોરમે તેમના પક્ષમાં ચુકાદો આપ્યો. તેમણે LICને મૃતકની પત્નીને 5 લાખ 21 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો. રાજ્ય અને રાષ્ટ્રીય ગ્રાહક મંચો દ્વારા પણ આ નિર્ણયને સમર્થન આપવામાં આવ્યું. તેમનો દલીલ એવો હતો કે મૃત્યુ હૃદયરોગના હુમલાને કારણે થયું હતું, લીવર સંબંધિત કોઈ રોગને કારણે નહીં. LICએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો.

Insurance Claims
news18-com.translate.goog

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે ગ્રાહક આયોગના નિર્ણયને ઉલટાવી દીધો અને LICની તરફેણમાં નિર્ણય આપ્યો. કોર્ટે કહ્યું કે આ કોઈ સામાન્ય વીમા પૉલિસી નથી પરંતુ એક વિશિષ્ટ આરોગ્ય વીમા યોજના છે, જેના કડક નિયમો છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, 'દારૂથી થતા રોગો એક દિવસમાં થતા નથી. મૃતક ઘણા સમયથી દારૂ પીતો હતો અને તેણે આ હકીકત છુપાવી હતી અને ખોટી માહિતી આપી હતી. આ જ કારણ હતું કે LICના દાવાને નકારી કાઢવો યોગ્ય હતો.'

ગ્રાહક ફોરમના નિર્દેશો મુજબ, LICએ મૃતકની વિધવાને 3 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે આ પૈસા પરત કરવાનો આદેશ આપ્યો નથી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.