મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં આવેલા આસીરગઢ કિલ્લામાં સોનાની શોધની અફવાઓએ સ્થાનિક લોકોને ખોદકામ કરવા માટે આકર્ષ્યા, જેની શરૂઆત એક બાંધકામ સ્થળે પ્રાચીન ધાતુના સિક્કાઓના મળવાથી થઈ. વિકી કૌશલની ફિલ્મ 'છાવા'માં બુરહાનપુરને 'સોનાની ખાણ' તરીકે વર્ણવવામાં આવ્યું ત્યારે આ અફવાએ વધુ વેગ પકડ્યો. વહીવટીતંત્ર અને ઇતિહાસકારોએ ચેતવણી આપી છે કે, અનિયંત્રિત ખોદકામથી ઐતિહાસિક વારસાને નુકસાન થઈ શકે છે અને એટલે અહીં વૈજ્ઞાનિક ખોદકામની માંગણી કરી છે.

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં આવેલા આસીરગઢ કિલ્લામાં તાજેતરમાં સોનાની શોધને લઈને ભારે હોબાળો મચી ગયો છે. પ્રખ્યાત અભિનેતા વિક્કી કૌશલની આગામી ફિલ્મ 'છાવા'માં બુરહાનપુરને 'સોનાની ખાણ' ગણાવ્યા પછી સ્થાનિકોમાં અફવાઓ ફેલાઈ ગઈ. આ કારણે, મોટી સંખ્યામાં લોકો ટોર્ચ, ચાળણી અને મેટલ ડિટેક્ટર સાથે સોનાની શોધમાં ત્યાં પહોંચ્યા.

Asirgarh Fort, Burhanpur
aajtak.in

આ બધું ત્યારે શરૂ થયું જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગના બાંધકામમાં રોકાયેલા એક JCB મશીને દરગાહ નજીક ખોદકામ કર્યું. ત્યાર પછી, ખોદકામ કરાયેલી માટી સ્થાનિક ખેડૂત હારૂન શેખના ખેતરમાં ઠાલવવામાં આવી હતી. ત્યાં કામદારોને પ્રાચીન ધાતુના સિક્કા મળ્યાના અહેવાલો હતા. કેટલાક લોકો દાવો કરે છે કે, તેમને મુઘલ કાળના સોના અને ચાંદીના સિક્કા પણ મળ્યા છે. આ પછી, નજીકના ગામડાઓમાંથી લોકો ત્યાં પહોંચવા લાગ્યા, એવી આશામાં કે તેમને પણ કોઈ કિંમતી વસ્તુઓ મળી જાય.

'છાવા' ફિલ્મમાં, બુરહાનપુરનો ઉલ્લેખ એક ઐતિહાસિક લશ્કરી અભિયાનના સંદર્ભમાં કરવામાં આવ્યો છે, જેમાં છત્રપતિ સંભાજી મહારાજે એક મોટી લડાઈ લડી હતી. ફિલ્મમાં બુરહાનપુરને 'સોનાની ખાણ' તરીકે વર્ણવવામાં આવ્યું હોવાથી, લોકોમાં એવી માન્યતા ઉભી થઈ હતી કે ખરેખર અહીં સોનું દટાયેલું હોઈ શકે છે.

Asirgarh Fort, Burhanpur
patrika.com

સ્થાનિક રહેવાસી મોહમ્મદ વસીમે ચિંતા વ્યક્ત કરતા કહ્યું, 'અહીં દરરોજ રાત્રે ભીડ વધી રહી છે. નજીકના ગામડાઓમાંથી લોકો આવી રહ્યા છે, અને ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે, તેમને સિક્કા મળી આવ્યા છે. વહીવટીતંત્ર આ તરફ ધ્યાન આપી રહ્યું નથી. મેં પટવારીને જાણ કરી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. સરપંચ પણ બધું જાણે છે, પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.'

ઇતિહાસકારોના મતે, બુરહાનપુર એક સમયે એક સમૃદ્ધ મુઘલ શહેર હતું, જ્યાં સોના અને ચાંદીના સિક્કા બનાવવા માટે ટંકશાળ બનાવવામાં આવતી હતી. યુદ્ધ અને કટોકટીના સમયમાં, લોકો પોતાની સંપત્તિને જમીનમાં દાટીને સુરક્ષિત રાખતા હતા. આ ઐતિહાસિક સંદર્ભને જોતાં, ખોદકામ દરમિયાન જૂના સિક્કા મળી આવે તેવી શક્યતા છે. જોકે, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, આવા અનિયંત્રિત ખોદકામને કારણે ઐતિહાસિક વારસાને નુકસાન પહોંચી શકે છે.

Asirgarh Fort, Burhanpur
aajtak.in

જિલ્લા પુરાતત્વ સભ્ય શાલિક રામ ચૌધરીએ જણાવ્યું હતું કે, 'એ સાચું છે કે આસીરગઢમાં આવા સિક્કા પહેલા પણ મળી આવ્યા છે. વહીવટીતંત્રે તેને ગંભીરતાથી લેવું જોઈએ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખોદકામ કરવું જોઈએ જેથી કોઈ ઐતિહાસિક વારસો નાશ ન પામે.'

આ મામલે, વિરોધી પક્ષ કોંગ્રેસે પણ વહીવટીતંત્ર અને પોલીસ પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે, જેથી અરાજકતા રોકી શકાય. બુરહાનપુરના પોલીસ અધિક્ષક દેવેન્દ્ર પાટીદારે ખાતરી આપી હતી કે, કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર ખોદકામ બંધ કરવામાં આવશે અને જરૂર પડ્યે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.