પાકિસ્તાનનું પાણી રોકવા માટે ભારત પાસે અત્યારે શું છે વિકલ્પ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

કેન્દ્ર સરકારે હાલમાં જ પાકિસ્તાન સાથે 1960ની સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા બાદ,  ભારતીય જળ ક્ષેત્રનો વધુમાં વધુ ઉપયોગ સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરવાનો નિર્ણય લીધો છે. આ દિશામાં એક અભ્યાસ શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે, જેથી સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓના પાણીનો યોગ્ય ઉપયોગ કરી શકાય.  ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મામલે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ભવિષ્યની યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી અને જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે કહ્યું હતું કે, ભારત એ સુનિશ્ચિત કરશે કે પાકિસ્તાનને ભારત તરફથી પાણીનું એક ટીપું પણ ન મળે.

Indus-Waters-Treaty
indiatoday.in

 

બેઠક બાદ મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક નિર્દેશ આપ્યા છે અને બેઠકનું આયોજન એ નિર્દેશોનો અમલ કરવા માટે કરવામાં આવ્યું છે. અમિત શાહે આ બેઠકમાં ઘણા સૂચનો આપ્યા, જેનું પ્રભાવી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. એક્સપર્ટ્સના મતે, ભારત પાસે પશ્ચિમી નદીઓના પાણીને રોકવા માટે પૂરતી સંરચના નથી. જોકે, સરકારે ભવિષ્યલક્ષી યોજનાઓ પર કામ કરવાનું ચાલુ કરી દીધું છે. નદીના પાણીના પ્રવાહને રોકવા માટે ચાલી રહેલા કેટલાક પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવામાં 5-7 વર્ષ લાગી શકે છે.

Indus-Waters-Treaty1
news18.com

 

હિમાંશુ ઠક્કર, સાઉથ એશિયા નેટવર્ક ઓન ડેમ્સ, રિવર્સ એન્ડ પીપલ (SANDRP)ના એક્સપર્ટ છે, તેઓ કહે છે કે વર્તમાનમાં ભારત પાસે પર્યાપ્ત નિયંત્રણ તંત્ર નથી, પરંતુ આ પરિયોજનાઓ પૂર્ણ થયા બાદ સ્થિતિમાં સુધાર થશે. એક અભ્યાસ કેન્દ્રના સંસ્થાપક શ્રીપાદ ધર્માધિકારી જેવા પર્યાવરણ કાર્યકરોએ પાણીના પ્રવાહને તાત્કાલિક વાળવાની તત્પરતા પર સાવધાની રાખવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે હાલમાં ભારત પાસે એટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે, જેથી પાકિસ્તાન તરફના પાણીના પ્રવાહને તાત્કાલિક રોકી શકાય. પાકિસ્તાને આ નિર્ણયને એક્ટ ઓફ વૉરગણાવ્યો છે અને તેને લઇને પાકિસ્તાનની સીનેટમાં એક પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.