કાશી વિશ્વનાથ કે પુષ્કર જાઉં ત્યારે મૌન કેમ, ફુરફુરા શરીફ પહોંચેલા મમતા મીડિયા પર કેમ અકળાયા?

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુલાકાતને લઈને વિરોધ પક્ષોમાં હાહાકાર મચી ગયો છે. વાસ્તવમાં, મમતા બેનર્જી સોમવારે હુગલી જિલ્લાના ફુરફુરા શરીફ પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે સદ્વભાવ, શાંતિ અને એકતાનો સંદેશો આપ્યો હતો, પરંતુ તેમની આ મુલાકાતની ભાજપે તીખી નિંદા કરી છે અને તેને મુસ્લિમ તુષ્ટિકરણ ગણાવ્યું છે. બીજી તરફ, મમતાએ વિપક્ષના વલણની આકરી ટીકા કરતા કહ્યું છે કે તેમની દરગાહની મુલાકાત અને તેમના ઈરાદાઓ પર સવાલ ઉઠાવનાર વિપક્ષી બેચેન થઈ ગયા છે.

Mamata-Banerjee1
zeebiz.com

ફરફુરા શરીફ શું છે?

બેનર્જીએ લગભગ એક દાયકા બાદ હુગલી જિલ્લાના એક ગામમાં ફુરફુરા શરીફની મુલાકાત લીધી હતી. ફુરફુરા શરીફ બંગાળી મુસ્લિમોના એક વર્ગના મુખ્ય 'પીર' (ધાર્મિક નેતા) મોહમ્મદ અબુ બકર સિદ્દીકીની પવિત્ર દરગાહ છે. આ દરગાહમાં ઈબાદત કર્યા બાદ મમતાએ મુસ્લિમોની ઈફ્તારમાં ભાગ લીધો હતો, પરંતુ તે પહેલા તેમણે સ્થાનિક ધાર્મિક નેતાઓ સાથે એક બેઠક પણ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, મીડિયાના એક વર્ગમાં એવા રિપોર્ટ જોઈને હું નિરાશ થયો છું જે મારા અહીં આવવાના ઈરાદાઓ પર સવાલ ઉઠાવે છે. આ જગ્યાની આ મારી પહેલી મુલાકાત નથી; હું અહીં અગાઉ પણ લગભગ 15-16 વખત આવી ચૂકી છું. 

તેમણે કહ્યું કે, જ્યારે હું કાશી વિશ્વનાથ મંદિર કે પુષ્કર જાઉં ત્યારે તમે આ સવાલ કેમ નથી પૂછતા? જ્યારે હું દુર્ગા પૂજા અને કાલી પૂજા કરું છું કે ક્રિસમસ સમારોહમાં ભાગ લઉં છું ત્યારે તમે કેમ ચૂપ રહો છો? જ્યારે મેં હોળી દરમિયાન બધાને શુભકામનાઓ પાઠવી, ત્યારે આવા સવાલ કેમ પૂછવામાં ન આવ્યા? બંગાળની ભૂમિ સદ્ભાવની ભૂમિ છે અને આ મંચ પરથી અમારો સંદેશ રાજ્યના તમામ સમુદાયો વચ્ચે સદ્ભાવ, શાંતિ અને એકતાનો છે.

Mamata-Banerjee
aajtak.in

 

આગલા દિવસે, વિવિધ વિપક્ષી નેતાઓએ બેનર્જીની ફુરફુરા શરીફની મુલાકાત પર ઝાટકણી કાઢતા દાવો કર્યો હતો કે તેમના વાસ્તવિક ઇરાદા રાજનીતિક હતા અને તેનો ઉદ્દેશ્ય આગામી વર્ષે થનારી રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ સમુદાય પાસે ચૂંટણી સમર્થન મેળવવાનો હતો. ભાજપે તેને મુસ્લિમ તુષ્ટિકરણ કરાર આપ્યો છે. વિપક્ષી નેતા શુભેન્દુ અધિકારીના નિવેદન પર TMCના નેતા કુણાલ ઘોષે કહ્યું કે, આ પૂરી રીતે ખોટો આરોપ છે. તેઓ એક નિમંત્રણ પર ત્યાં ગયા હતા અને અગાઉ પણ ફુરફુરા શરીફની મુલાકાત લઈ ચૂક્યા છે. વિપક્ષી નેતાને ડર સતાવી રહ્યો છે કે ભાજપના કેટલાક વધુ નેતાઓ ભાજપ છોડીને TMCમાં આવી રહ્યા છે. એટલે આવી વાતો કરી રહ્યા છે, જોકે અમને આ ડર સારો લાગે છે.

Related Posts

Top News

પહેલગામના પીડિત પિતાનો આક્રોશ- બે કોડીના લોકો PMને પડકાર ફેંકીને ગયા

પહેલગામની ઘટનામાં ઉત્તર પ્રદેશના કાનપુરના એક યુવાને જીવ ગુમાવ્યો હતો. તેના હજુ 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને...
National 
પહેલગામના પીડિત પિતાનો આક્રોશ- બે કોડીના લોકો PMને પડકાર ફેંકીને ગયા

આ બે સરકારી બેન્કો પાસે હોમ અને કાર લોન લેવી થઈ ગઇ સસ્તી

2 સરકારી બેન્ક, કેનેરા બેન્ક અને ઇન્ડિયન બેન્કે પોતાના ગ્રાહકોને રાહત આપી છે. બેન્કોએ ગુરુવારે પોતાના રેપો-લિંક્ડ લેન્ડિંગ રેટ...
Business 
આ બે સરકારી બેન્કો પાસે હોમ અને કાર લોન લેવી થઈ ગઇ સસ્તી

સુરતના પન્નાબેનના અંગોના દાનથી એક દિવસે, એક સાથે 7 વ્યક્તિઓને નવજીવન મળ્યું

કિરણ હોસ્પિટલે દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશના ઓર્ગન ફેલ્યોર લોકો માટે કિરણ હોસ્પિટલ આશાનું કિરણ...
Gujarat 
સુરતના પન્નાબેનના અંગોના દાનથી એક દિવસે, એક સાથે 7 વ્યક્તિઓને નવજીવન મળ્યું

AMNS ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની તનિષ્કા દેસાઈને રાષ્ટ્રીય સ્તરની વક્તૃત્વ સ્પર્ધામાં 'સર્વશ્રેષ્ઠ વક્તા'નો ખિતાબ જીતી લીધો

હજીરા-સુરત, એપ્રિલ 24, 2025: AMNS ઇન્ટરનેશનલ સ્કૂલની ધોરણ-9ની વિદ્યાર્થીની તનિષ્કા દેસાઇએ ઇન્ડિયન ડિબેટિંગ લીગ દ્વારા આયોજિત ફ્રેન્કીનસ્ટાઇન ડિબેટ ટૂર્નામેન્ટના ફાઇનલ...
Education 
AMNS ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની તનિષ્કા દેસાઈને રાષ્ટ્રીય સ્તરની વક્તૃત્વ સ્પર્ધામાં 'સર્વશ્રેષ્ઠ વક્તા'નો ખિતાબ જીતી લીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.