‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે શનિવારે એક સાથે ચૂંટણી કરાવવા પર ભાર આપવાને લઇને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે, ચૂંટણી સુધારણાની આડમાં આખરે અન્ય ધર્મના લોકોને મતદાર યાદીમાંથી બહાર કરીને મતદાન કરવામાં આવશે. આ સિવાય તેમણે શું કહ્યું ચાલો જાણીએ.

uddhav-thackeray1
deccanherald.com

 

શિવસેનાના મુખપત્ર 'સામના'ના સંપાદકીયમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપ ઇચ્છે છે કે દેશમાં માત્ર એક જ પાર્ટી રહે અને 'એક પાર્ટી એક ચૂંટણી' તેમનું અંતિમ લક્ષ્ય છે. સંપાદકીયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે, જે પ્રકારે અમેરિકન રાષ્ટ્રપતિ લેટિન અમેરિકનો, અશ્વેત અમેરિકનો અને પ્રવાસીઓને મતદાન કરતા રોકવા માગે છે, એજ જ રીતે ભારતમાં અન્ય ધર્મના લોકોને મતદાર યાદીમાંથી બહાર કરીને મતદાન કરવામાં આવશે અને તેને ચૂંટણી સુધારણાનું નામ આપી દેવામાં આવશે.

સંપાદકીયમાં મંગળવારે ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલા કાર્યકારી આદેશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં સંઘીય ચૂંટણીમાં મતદાન માટે રજિસ્ટ્રેશન હેતું નાગરિકતા સંબંધિત દસ્તાવેજી પ્રમાણને આવશ્યક બનાવવામાં આવ્યા છે અને પ્રાવધાન કરવામાં આવ્યું છે કે ચૂંટણીના દિવસ સુધીમાં બધા મતપત્રો પ્રાપ્ત થઇ જાય. શિવસેના (UBT)એ ​​કહ્યું કે, ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને અમેરિકા સૌથી મજબૂત લોકતંત્ર છે. જો કે, એ સ્પષ્ટ છે કે લોકતંત્રના મૂળ ખૂબ નબળા છે.

uddhav-thackeray
uddhav thackeray

 

આ સિવાય શિવસેના (UBT)એ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લોકતંત્ર અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં પર વિશ્વાસ કરતા નથી. સંપાદકીયમાં ટ્રમ્પને વ્હાઇટ મોદી કરાર આપતા કહ્યું કે, આ પગલું ડેમોક્રેટિક પાર્ટીની 'વોટ બેંક' માટે મોટો ઝટકો છે કેમ કે તેનાથી લેટિન અમેરિકનો, અશ્વેત અમેરિકનો અને પ્રવાસીઓને મતદાર યાદીમાંથી બહાર કરી દેવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.