ઇરાકમાં 4500 વર્ષ જૂનું મંદિર મળી આવ્યું, આ દેવતાનું ટેમ્પલ હતું

પુરાતત્વવિદોએ ઇરાકમાં જમીનની અંદરથી 4500 વર્ષ જૂનુ સુમેરિયન મંદિર શોધી કાઢ્યું છે. આ જગ્યા પર મંદિર મળવું એ એક મહત્ત્વની શોધ માનવામાં આવી રહી છે, કારણ કે આ જગ્યા પર પહેલા ખોદકામ થઇ ચૂક્યું હતું. રિમોટ સેંસિગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જમીનની નીચેથી મંદિરને શોધ કાઢવામાં આવ્યું છે.

ઈરાકમાં બ્રિટિશ મ્યુઝિયમના પુરાતત્વવિદોને 4,500 વર્ષ જૂનું સુમેરિયન મંદિર મળ્યું છે. આ મંદિર મેસોપોટામિયાના દેવતા નિંગિરસુનું છે. તે વસંત ઋતુમાંતોફાનાનો દેવ છે. આ મંદિર માટીની ઈંટોથી બનેલું હતું અને તે પ્રાચીન શહેર ગીરસુનું અદભૂત કેન્દ્ર હતું, જે હવે ટેલ્લો તરીકે ઓળખાતું પુરાતત્વીય સ્થળ છે.

લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં પ્રાચીન મેસોપોટેમિયાના ક્યુરેટર સેબેસ્ટિયન રેએ જણાવ્યું હતું કે, અમે આ મંદિરને ગિરસુ શહેરની મધ્યમાં શોધી કાઢ્યું છે અને હાલમાં અમે તેનું ખોદકામ કરી રહ્યા છીએ. તે પ્રાચીન મેસોપોટેમિયાના સૌથી મહત્વપૂર્ણ પવિત્ર સ્થળોમાંનું એક છે. આ મંદિર શહેરના મુખ્ય દેવતાને સમર્પિત છે.

ગિરસું મેસોપોટેમિયાના મધ્યમાં સ્થિત એક સાંસ્કૃતિક કેન્દ્ર હતું. આ વિસ્તાર યુફ્રેટસ અને ટાઇગ્રિસ નદીઓ વચ્ચેનો વિશાળ વિસ્તાર હતો. તેમાં ઇરાક, પૂર્વ સીરિયા, દક્ષિણપૂર્વીય તુર્કી, પશ્ચિમ ઈરાન અને કુવૈતના ભાગોનો સમાવેશ થાય છે અને તે પ્રારંભિક સંસ્કૃતિનું ઘર હતું. સુમેરિયનો કદાચ સૌથી જૂની સંસ્કૃતિ હોવાનું માનવામાં આવે છે અને તેમણે પ્રથમ ધર્મ અને કાયદાની સ્થાપના કરી હતી.

ફ્રેન્ચ પુરાતત્વવિદ્ અર્નેસ્ટ ડી સરજેકે સૌપ્રથમ 1877માં ગિરસુંના અવશેષો શોધી કાઢ્યા હતા. તેમણે અહીંથી તમામ કલાકૃતિઓ લઇ ગયા હતા.જેમાં સુમેરિયન રાજા ગુડિયાની 4 હજાર વર્ષ જૂની પ્રતિમાનો સમાવેશ થાય છે. ઘણા લોકોએ વિચાર્યું કે અહીં ખોદવા માટે કંઈ બાકી નથી. ઈરાકમાં અસ્થિરતાએ પણ અમુક સમયે ખોદકામ અટકાવ્યું છે. જોકે સેબેસ્ટિયન અને તેની ટીમને ખાતરી હતી કે અહીં જમીનમાં ઘણું દટાયેલું છે.

સેબેસ્ટિને કહ્યું કે આજે એવું કહેવું કાલ્પનિક નથી કે ગિરસું કદાચ વિશ્વની સૌથી મહત્વપૂર્ણ હેરિટેજ સાઇટ્સમાંની એક છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. લગભગ એક સદી પહેલા પુરાતત્વવિદોએ અહીં ખોદકામ કર્યું હતું. પરંતુ હવે આ મંદિરનું મળવું એ એક અનોખી શોધ છે. રિમોટ સેન્સિંગ ટેક્નોલોજી દ્વારા જમીનની નીચેની વસ્તુઓ શોધવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.