કાંકરિયા કાર્નિવલમાં 2 સાંતાને હિંદુ સંગઠનના કાર્યકરોએ દોડાવી-દોડાવીને ફટકાર્યા

ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલા કાંકરિયા કાર્નિવલમાં સાંતા ક્લોઝ બનીને આવેલા 2 લોકો સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. શુક્રવારે રાત્રે 2 લોકો સાંતા ક્લોઝનો પહેરવેશ પહેરીને કાર્નિવલમાં પહોંચ્યા હતા. આ દરમિયાન વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ બંને સાંતા કલોઝને દોડાવી દોડાવીને ફટકાર્યા હતા. બંને વ્યકિતઓ પોતાનો જીવ બચાવવા ભાગી છુટ્યા હતા.

સાન્તાક્લોઝને દોડાવી દોડાવીને માર મારવામાં આવતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં બજરંગ દળના કાર્યકરોને એવું કહેતા સાંભળી શકાય છે કે ચર્ચમાં જાઓ અને તમારા ધર્મનો પ્રચાર કરો. અહીં તમે લોકોને માઇન્ડ વોશ કરી રહ્યા છો. બજરંગ દળના નેતા જ્વલિત મહેતાનું કહેવું છે કે અહીં આ લોકો સાંતાક્લોઝના ડ્રેસમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા પુસ્તકો વેચતા હતા. મામલો સામે આવ્યા બાદ તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે કહ્યું કે ખ્રિસ્તી મિશનરીઓ દ્રારા છેલ્લાં 4 દિવસથી કાર્નિવલમાં ખ્રિસ્તી ધર્મના પુસ્તકો વેચવામાં આવી રહ્યા હતા. સાંતાના પહેરવેશમાં કેટલાંક લોકો ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા અને ધર્માતરણની ગતિવિધીઓને પ્રોત્સાહન આપી રહ્યા હતા. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળને આ વિશે માહિતી મળી હતી. અમે તપાસ કરી તો આ વાત સાચી નિકળી હતી. જેને કારણે બજરંગ દળના પ્રાંત અધ્યક્ષ જવિલત મહેતાની આગેવાની 20 કાર્યકરોએ કાર્નિવલમાં ચાલી રહેલી ધર્માતરણની પ્રક્રિયા અટકાવી હતી.

આવી મારપીટની ઘટના નવરાત્રીના સમયમાં પણ દેશમાં અનેક સ્થળે સામે આવી હતી. વર્ષ 2022માં નવરાત્રીના તહેવારમાં હિંદુ સંગઠનોએ પહેલેથી જ ચેતવણી આપી હતી કે ઓળખ કાર્ડ વગર કોઇને ગરબાના પંડાલમાં જવા દેવાશે નહીં. મધ્ય પ્રદેશ અને અમદાવાદ સહિત ગરબામાં ઘુસી આવેલા મુસ્લિમ યુવકોની પિટાઇ કરી હતી.

જો કે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ આ રીતે મારવાની પ્રક્રિયા હાથ ધરે છે તે ખોટી વાત છે. ધારો કે સાંતાના વેશમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા હોય તો તેની જાણ પોલીસને કરવી જોઇએ. કાયદો હાથમાં લેવાનું કામ વિશ્વ હિંદુ પરિષદ કે બંજરંગ દળનું નથી. પોલીસનું કામ જ છે કાયદાનું પાલન કરાવવાનું. તમે કોઇની સાથે મારપીટ કરો તો એ માણસના મગજમાંથી ખુન્નસ જિંદગીભર નિકળતું નથી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.