સરકારને હચમચાવી નાંખે તેવી સુરતમાં જૈનોની મહારેલી, 3 કિ.મી સુધી માનવ મહેરામણ

સુરતમાં મંગળવારે પાર્લે પોઇન્ટ વિસ્તારમાંથી જૈન સમાજની સવારે જે રેલી નિકળી હતી તેમાં એટલી મોટી સંખ્યામાં માનવ મહેરામણ હતું કે જે જોઇને કદાચ સરકાર પણ હાલી જાય. પાર્લે પોઇન્ટથી કલેક્ટર કચેરી સુધીની આ મહારેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઇ હતી. મહાતીર્થને બચાવવાની આ રેલીમાં જૈન સમાજનો આક્રોશ જોવા મળ્યો હતો. અમદાવાદ, દિલ્હી, મુંબઇ પછી સુરતમાં નિકળેલી મહારેલી 3 કિ.મી. લાંબી હતી. તમે જૈન સેલાબ જુઓ તો તમને ખબર પડે કે સમાજ કેટલો ધુંઆપુંઆ છે.

જૈન સમાજ છેલ્લાં 15 દિવસથી લડત આપી રહ્યો છે. પાલિતાણાના શંત્રુજય પર્વત અને ઝારખંડના સમ્મ્ત શિખરને તીર્થ સ્થાન જાહેર કરવાની જૈન સમાજની માંગ છે. પાલિતાણા શત્રુંજય પર્વત પર અસમાજિક તત્વોના ઉપદ્રવ સામે પણ સમાજમાં આક્રોશ છે.

રવિવારે અમદાવાદ, મુંબઇ, દિલ્હીમાં મહાતીર્થને બચાવવાની મહારેલી પછી મંગળવારે સુરતમાં પણ પાર્લે પોઇન્ટ સરગમ શોપિંગ સેન્ટર પાસેથી એક મહારેલી નિકળી હતી. જેમાં પુરુષો શ્વેતવસ્ત્રમાં અને મહિલાઓ કેસરી વસ્ત્રમાં એક સરખા જોવા મળ્યા હતા. જૈનોની રેલીનો મહાસાગર એટલો અફાટ હતો કે લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.

જૈન સમાજના લોકોનું કહેવું છે કે, ઝારખંડમાં જૈનોના પવિત્ર તીર્થ સ્થાન સમ્મેત શિખરજીને ઝારખંડ સરકારે પર્યટન સ્થળ તરીકે જાહેર કર્યું છે. ઝારખંડ ખાતે આવેલું સમ્મેત શિખરજી જૈનો માટે આસ્થાનું કેન્દ્ર છે. જૈનો તેને તીર્થસ્થળ માને છે. જૈનોની આ પાવનભૂમિને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતાની સાથે જ જૈનોની લાગણી દુભાઈ છે. જૈનોના તીર્થ સ્થળને પર્યટન સ્થળ તરીકે સમાજ સાંખી લેશે નહીં એવો બુલંદ આક્રોશ સુરતની રેલીમાં જોવા મળ્યો હતો.

લગભગ છેલ્લાં 15 દિવસથી મહાતીર્થની સુરક્ષા માટે જૈન સમાજે અવાજ બુલંદ કર્યો છે અને ઠેર ઠેર રેલીઓ કાઢીને તેમની વાચાને પહોંચાડી રહ્યા છે. સુરતમાં મંગળવારે સવારે શેત્રુંજય મહાતીર્થ તથા સમ્મેત શિખરજી તીર્થ રક્ષા હેતુ સમસ્ત સુરત જૈન સંઘ અને ગુરૂભગવંતોની નિશ્રામાં આયોજીત જૈન સમાજ મૌન રેલી સંદર્ભે પાંચ આચાર્ય ભગવંતો - મુનિ ભગવંતો - સાધ્વીજી ભગવંતો, શ્રાવક - શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં સમસ્ત સુરત શહેરના જૈન સમાજના લોકો મહારેલીમાં હાજર રહ્યા હતા. સરગમ શોપિંગ સેન્ટર ખાતેથી વિશાળ રેલી નીકળી હતી અને સુરત જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.