એક રામલીલા આવી પણ, પિઝાની સુગંધથી જાગ્યા કુંભકર્ણ, ઉડતા આવ્યા ભગવાન ગરુડ

રામલીલામાં કુંભકરણને જગાડવા માટે, ઘણી રીતો અપનાવવામાં આવે છે. પરંતુ, આ વખતે પુષ્કરની રામલીલામાં કુંભકર્ણને જગાડવા માટે પિઝાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. કુંભકર્ણ પિઝાની સુગંધથી જાગી ગયો. આ સિવાય લોકોને રામલીલા સાથે જોડી રાખવા માટે ઘણા વધુ ઇનોવેશન કરવામાં આવ્યા છે. આમાં ભગવાન ગરુડ નાગ પાશને તોડવા માટે આકાશમાંથી ઉડીને પૃથ્વી પર આવ્યા હતા.

રામલીલાનું મંચન કરનારાઓએ અહીં કેટલાક નવા પ્રયોગો કર્યા છે. જેના કારણે તેઓ ભગવાન રામની લીલાને વધુને વધુ લોકો સુધી લઈ જવામાં સફળ પણ રહ્યા છે. આ રામલીલા જોવા માટે હજારો લોકો એકઠા થયા હતા. પગ મુકવાની પણ જગ્યા નહોતી.

રામ લીલામાં લોકોની સંખ્યા વધારવાનો પ્રયોગ ખૂબ જ સફળ રહ્યો અને ભીડ પણ વધી. કોરોનાકાળ પછી લોકોને રામલીલા સાથે જોડવાનું મુશ્કેલ બની ગયું હતું. રામલીલાનું આયોજન કરનારા આયોજકોએ કુંભકરણને જગાડવા માટે વિદેશી ફૂડ પિઝા મંગાવ્યા હતા.

તેની સુગંધથી કુંભકર્ણ જાગી ગયો. આ ઉપરાંત ભગવાન ગરુડે ઉડીને ભગવાન શ્રી રામના નાગપાશને તોડવા માટે રામલીલાના સ્થળે પહોંચ્યા હતા અને હનુમાનજીએ પણ સંજીવની બુટી માટે રામલીલાના સ્થળે ઉડાન ભરી હતી. આ સમગ્ર દ્રશ્ય જોવા માટે હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો તેમજ વિદેશી પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.

પુષ્કર નગરપાલિકાના ઉપ-પ્રમુખ શિવ સ્વરૂપ મહર્ષિએ જણાવ્યું હતું કે, વધુમાં વધુ લોકો રામલીલામાં જોડાઈ શકે તે હેતુસર નવીનતાઓ કરવામાં આવી છે. તેમજ લાખો રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે રામલીલાનું આયોજન કરી શકાય.

તેમણે વધુમાં કહ્યું, કોરોનકાળ પછી, લોકોમાં મોબાઇલનો વ્યાપ ઘરે-ઘરે વધ્યો છે. આ કારણે બહુ ઓછા લોકો રામલીલા જોવા આવતા હતા. લોકોની સંખ્યામાં વધારો કરવા માટે, કુંભકરણને પિઝા પીરસવા, હનુમાન અને ગરુડને ઉડાડીને રામલીલા સ્થળ પર પહોંચવામાં આવ્યા હતા.

રામલીલાનું આયોજન કરતી સમિતિ શ્રી બ્રહ્મ પુસ્કર સેવા સંઘના પ્રબંધક આશુતોષ શર્માએ જણાવ્યું કે પુષ્કરમાં વિદેશીઓ પુષ્કળ પ્રમાણમાં આવે છે. અહીંના પિઝા પણ ખૂબ પ્રખ્યાત છે. દેશ-વિદેશના લોકો અહીં પિઝા ખાવા આવે છે.

લોકો રામલીલા સાથે જોડાઈ શકે તે હેતુસર કુંભકરણને પિઝા પીરસવામાં આવ્યા હતા. લોકોને પણ આ ઈનોવેશન ખૂબ પસંદ આવ્યું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.