આ મંદિરમાં દર્શન કરવાથી કાલસર્પ દોષથી મળે છે છૂટકારો, કાચબાને પનીર ખવડાવવાથી...

ભારત પ્રાચીન, ઐતિહાસિક, ચમત્કારિક અને રહસ્યમય મંદિરોનો દેશ છે. આ મંદિરોના રહસ્યો અને ચમત્કારોના કારણે અહીં દેશ-વિદેશથી લોકો દર્શન માટે આવે છે. આમાંના ઘણા મંદિર એવા છે કે જેમાં માત્ર દર્શન કરવાથી જ જીવનની ઘણી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં પંકી સ્થિત નાગેશ્વર મહાદેવનું ધામ આવું જ એક ચમત્કારી મંદિરમાંથી એક છે. આ સાથે આ મંદિરમાં સેંકડો વર્ષ જૂનું એક તળાવ પણ છે. આ તળાવમાં મોટી સંખ્યામાં કાચબાઓ રહે છે જેના કારણે તેને કાચબા તળાવ પણ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ મંદિરમાં ભોલેનાથના દર્શન કરવા માત્રથી કાલસર્પ દોષમાંથી મુક્તિ મળી જાય છે. અને સાથે જ ત્યાં રહેલા કાચબાઓ પણ તેમની ઈચ્છાઓ પૂરી કરે છે.

આ નાગેશ્વર મંદિર પરિસરમાં બનેલા તળાવની વિશેષતા એ છે કે, જ્યારથી આ તળાવ બનેલું છે, ત્યારથી તેમાં કાચબાઓ જોવા મળે છે. એટલે કે, આ તળાવમાંથી કાચબા ક્યારેય ગાયબ થયા નથી, પરંતુ કાચબા હંમેશા મોટી સંખ્યામાં રહે છે. તેથી જ તેને કાચબા તળાવ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ શિવ મંદિરમાં પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ મહાદેવની પૂજા ત્યારે જ પૂર્ણ માનવામાં આવે છે, જ્યારે કાચબાની પણ પૂજા કરવામાં આવે અને તેમને ભોજન આપવામાં આવે. એવું માનવામાં આવે છે કે, આ કાચબા જ દરેકની ઈચ્છાઓ પૂરી કરે છે. આ સાથે જ સૌથી મોટી વાત એ છે કે, આ નાગેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવાથી કુંડળીમાં કાલ સર્પ દોષને કારણે થતા કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

આ શિવ મંદિરમાં દરરોજ સેંકડો ભક્તો દર્શન માટે આવે છે. મંદિરના મહંત દેવી દયાલ પાઠકનું કહેવું છે કે, અહીં ઘણા જિલ્લાઓમાંથી લોકો કાચબાને જોવા માટે આવે છે. એવું માનવામાં આવે છે કે આ કાચબા લોકોની મનોકામના પણ પૂર્ણ કરે છે. કાચબાને જોવાની સાથે લોકો શિવ મંદિરના દર્શન પણ કરે છે.

આ શિવ મંદિરમાં આવતા ભક્તો કાચબાઓને ભોજન આપવાનું ભૂલતા નથી. ભગવાન શિવની પૂજા કર્યા પછી, લોકો કાચબાની પણ પૂજા કરે છે અને પછી તેમને રોટલી, પનીર અને લોટ ખવડાવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આ કાચબા લોકોની મનોકામના પૂર્ણ કરે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. Khabarchhe.com તેની પુષ્ટિ કરતું નથી.)

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.