19 વર્ષ પછી શ્રાવણ પર બન્યો ખાસ સંયોગ, જાણો કેવી રીતે દૂર થશે દુઃખ

દર વર્ષે શ્રાવણ મહિનામાં સમગ્ર વાતાવરણ બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠે છે. આ મહિનામાં ભગવાન ભોલેશંકરના મંદિરમાં ભક્તોનો ધસારો રહે છે. સાથે જ આ મહિનો ખૂબ જ પવિત્ર પણ માનવામાં આવે છે. વર્ષના 12 મહિનામાં શ્રાવણ મહિનાનું મહત્વ ઘણું છે. હિંદુ પંચાંગ અનુસાર આ સમય શિવની પૂજાનો સમય માનવામાં આવે છે. આ વર્ષના શ્રાવણ વિશે ખાસ વાત એ છે કે 19 વર્ષ પછી એક શુભ સંયોગ બન્યો છે. આ વર્ષે શ્રાવણ 59 દિવસ હશે, જ્યારે સામાન્ય રીતે શ્રાવણનો એક જ મહિનો હોય છે. અગાઉ આવો સંયોગ વર્ષ 2004માં બન્યો હતો.

પવિત્ર સમય 4 જુલાઈથી શરૂ થશે, જે 31 ઓગસ્ટ 2023ના રોજ સમાપ્ત થશે. શ્રાવણમાં અધિક માસ હોવાથી શ્રાવણમાં 8 સોમવાર વ્રત અને 9 મંગળા ગૌરી વ્રત પણ આવશે. આવી સ્થિતિમાં ભક્તોને મહાદેવ અને માતા પાર્વતીની કૃપા મેળવવા માટે 2 મહિનાનો અવસર મળશે. બીજી તરફ, અધિકમાસ 18 જુલાઈથી શરૂ થશે અને 16 ઓગસ્ટ 2023ના રોજ સમાપ્ત થશે.

પ્રયાગરાજના આચાર્ય લક્ષ્મીકાંત શાસ્ત્રીએ જણાવ્યું કે, હિંદુ કેલેન્ડર મુજબ તમામ મહિનાઓમાં શ્રાવણ મહિનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ મહિનામાં ભગવાન ભોલેનાથ તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. શિવભક્તો આખા વર્ષ દરમિયાન શ્રાવણ મહિનાની ખુબ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. એવી માન્યતા છે કે, શ્રાવણના દરેક સોમવારે શિવલિંગનો રુદ્રાભિષેક અને જલાભિષેક કરવાથી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને જીવનમાં ખુશીઓ છલકાઈ જાય છે. તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.

રાત્રે શિવલિંગની પૂજા કરતી વખતે તમારું મુખ ઉત્તર દિશા તરફ રાખવું. જ્યારે, ભગવાન શિવના મંત્રોનો જાપ કરતી વખતે, તમારું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખો. શિવલિંગને દૂધથી અભિષેક કરો અને તેમને બેલપત્ર, ધતુરા, ભાંગ અવશ્ય અર્પણ કરો. શિવલિંગને હંમેશા ખુલ્લી અને હવા ઉજાશવાળી જગ્યાએ જ રાખો. પૂજા કરતી વખતે ઉત્તર દિશામાં ન બેસવું. પૂજામાં તલના તેલનો ઉપયોગ કરો. મંત્રોચ્ચાર કરતી વખતે સોપારી, પંચ અમૃત, નારિયેળ અને બીલીપત્ર ચઢાવો. જો તમે ઉપવાસ કરતા હોવ તો શ્રાવણ વ્રતની કથાનું વાંચન કરો, અને મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરો. સાંજે પૂજા પૂરી થયા પછી પારણા કરો અને સામાન્ય ભોજન કરો.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.