વૈભવી જીવન છોડીને 4 ધોરણ ભણેલી પ્રિશા દિક્ષા લેશે,મૂહુર્ત લેવા માટે ઓડીમાં આવી

સુરતમાં જૈન સમાજની  વધુ એક કિશોરી વૈભવી જીવવનો ત્યાગ કરીને દીક્ષા લેવા જઇ રહી છે.

સુરતના અડાજણ, પાલ વિસ્તારમાં રહેતા એક બિઝનેસમેનની 12 વર્ષની દીકરીએ સંયમના માર્ગે પ્રયાણ કરવાનો નિર્ધાર કર્યો છે. વૈભવી જીવન અને પરિવારની મોહ માયા છોડીને આ દીકરી દિક્ષા લેવાની છે. બુધવારે જ્યારે આ 12 વર્ષની દીકરી દિક્ષાના મૂહુર્ત માટે ઉમરા સંઘ પહોંચવા માટે ઓડી કારમાં નિકળી હતી ત્યારે ચર્ચાનો વિષય બની હતી. જૈન પરિવારની આ દીકરીએ 4 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા હર્ષિતભાઇ શાહ પોતે બિઝનેસમેન છે અને તેમની દીકરી પ્રિશાએ દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય લીધો હતો. 12 વર્ષની પ્રિશાએ વૈભવી જીવવનો ત્યાગ કરવાનું નક્કી કર્યું છે. બુધવારે પ્રિશા અને તેના પરિવારના લોકો ઉમરા સંઘ દીક્ષાનું મૂહુર્ત લેવા માટે ઓડી કારમાં નિકળ્યા હતા.

ઉમરા જૈન સંઘમાં જૈનાચાર્ય રશ્મિરત્ન સુરીજીએ 17 જાન્યુઆરી 2024નું મૂહુર્ત આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રિશા શાહે કહ્યું હતું કે મને માનવજીવન એટલા માટે મળ્યું છે કે મુનિ બનીને મોક્ષ પ્રાપ્ત કરી શકાય. પ્રિશાએ જૈનાચાર્યને કહ્યું હતું કે, મારે માનવ જીવવને સાર્થક કરવું છે તે માટે મંગલ મૂહુર્ત પ્રદાન કરવા વિનંતી છે. જેના જવાબમાં આચાર્ય રશ્મિરત્નસૂરીએ કહ્યું હતું કે, આ બધા મુમુક્ષો સંયમ પાળતા હોય છે. જ્યારે નાના માટો ત્યાગ કરીને વિરતીના સાધનામાં આગળ વધીશું ત્યારે જ તેમની સક્રીય અનુમોદના થશે.

જૈન સમાજમા દીક્ષા લેવાનું અનેરું મહત્વ છે. કરોડોની સંપત્તિ ત્યજીને સંયમના માર્ગે નીકળી પડેલા અનેક ઉદાહરણો છે. જૈન સમાજમાં એવા પણ ઉદાહરણો જોવા મળ્યા છે, જેમાં કરોડોની સંપત્તિ ધરાવતા આખેઆખા પરિવારો દીક્ષા લે છે અને સંયમના માર્ગે નીકળી પડે છે. હજુ થોડા સમય પહેલા સુરતના હીરા વેપારી અને તેમની પત્ની દીક્ષા લેવાનો નિર્ણય લીધો છે.

તમને યાદ હશે કે આ વર્ષના જાન્યુઆરી મહિનામાં સુરતના વેસુ વિસ્તારમાં આવેલા એક ફાર્મમાં 9 વર્ષની દેવાંશી સંઘવીનો જબરદસ્ત મોટો દીક્ષા સમારોહ થયો હતો, જે 5 દિવસ સુધી ચાલ્યો હતો.

ધનેશભાઇ તથા અમી સંઘવીની દીકરી દેવાંશીનો જ્યારે અઠવા ગેટથી વર્ષીદાન યાત્રાનો પ્રારંભ થયો હતો ત્યારે 4 હાથી, 20 ઘોડા અને 11 ઉંટોની જાજારમાન સવારી નિકળી હતી. લાખો લોકો આ યોત્રા જોવા માટે એકઠા થયા હતા.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.