વસંત પંચમી પર પીળા રંગથી કરો આ ચોક્કસ ઉપાય, બુદ્ધિની સાથે ધનમાં પણ થશે વધારો

જ્યોતિષ શાસ્ત્ર મુજબ વસંત પંચમીના દિવસે જ્ઞાન, વિદ્યા, સંગીત અને કલાની દેવી માતા સરસ્વતીનો જન્મ થયો હતો. આથી જ માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં વસંત પંચમી પર પીળા રંગનું વિશેષ મહત્વ છે. આ દિવસે વિધિ વિધાનથી માતા સરસ્વતીની પૂજા કરવાથી ભક્તોને વિદ્યા અને બુદ્ધિના આશીર્વાદ મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ વખતે વસંત પંચમીનો તહેવાર 26 જાન્યુઆરીના દિવસે આવી રહ્યો છે. શાસ્ત્રો મુજબ આ દિવસે પીળા રંગનો વિશેષ રીતે ઉપયોગ કરવામાં આવે છે. આ દિવસે પીળા રંગનો ઉપયોગ કરવાથી માતા સરસ્વતીની કૃપાથી વ્યક્તિને બુદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે.

વસંત પંચમીના દિવસે પીળા રંગથી કરો આ ઉપાય

1 જ્યોતિષ શાસ્ત્ર મુજબ, વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને પીળા રંગની બરફી અથવા લાડુનો ભોગ ધરાવો. આ પછી આ ભોગને 7 છોકરીઓમાં વહેંચી દો. આનાથી મા સરસ્વતીની સાથે સાથે મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

2 જો તમારું બાળક અભ્યાસમાં નબળું છે અથવા ભણવામાં તેનું મન નથી લાગતું, તો તેના હાથોથી કોઈ ગરીબ વ્યક્તિને પીળા રંગની વસ્તુઓ જેમ કે કેળા, દાળ, પીળા કપડાં, શિક્ષણ વગેરે સાથે જોડાયેલ વસ્તુનું દાન કરાવો. તેનાથી માતા સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

3 જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે અને યાદશક્તિના વિકાર માટે વસંત પંચમી પર પીળા રંગના વસ્ત્રો પહેરો. આ સાથે જ, બે મુખ વાળો દીવો પ્રગટાવો અને વિશ્વવિજય સરસ્વતી કવચનો પાઠ કરો.

4 જો કોઈ વ્યક્તિના લગ્ન જીવનમાં તણાવ હોય તો વસંત પંચમીના દિવસે દૂધમાં હળદર મિક્સ કરીને દેવી સરસ્વતીનો અભિષેક કરી દો. તેનાથી વ્યક્તિની વાણીમાં મીઠાસ આવે છે.

5 વસંત પંચમીના દિવસે મા સરસ્વતીને ભોગમાં મળેલા મીઠા ચોખા ચઢાવો. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. વાણી પર નિયંત્રણ રાખવાની ક્ષમતા વધે છે અને વ્યક્તિનું વ્યક્તિત્વ નીખરી આવે છે.

6 જો કોઈ વ્યક્તિને અભ્યાસમાં કોઈ પ્રકારની અડચણ આવી રહી છે, તો વસંત પંચમીના દિવસે 108 પીળા ફૂલ દેવી સરસ્વતીને ચઢાવી દો. આટલું જ નહીં, ઓમ એં સરસ્વત્યાય એં નમઃ મંત્રની એક માળાનો જાપ કરવાથી સમસ્યામાંથી મુક્તિ મળી જશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.