બકરાની કુરબાની આપીને નહીં, ખીર અને સેવૈયા વહેંચીને ઇદની ઉજવણી

ગુરુવારે દેશભરમાં બકરા ઇદની મુસ્લિમ બિરાદરોએ ઉજવણી કરી, પરંતુ આ પરંપરા હવે ધીમે ધીમે બદલાઇ રહી છે. આ વખતે કેટલાંક એવા કિસ્સા સામે આવ્યા જેના પરથી ખબર પડે છે કે હવે બકરાની કુરબાની લોકોને પસંદ નથી પડી રહી. ઉત્તર પ્રદેશના બાગપતના એક જૈન વેપારી  જે બકરાની કુરબાની અપાવવાની હોય તે ખરીદીને પોતાના પ્લોટમાં કાળજી રાખે છે અને બકરાઓને જીવતદાન આપે છે. તો આગ્રામાં એક મુસ્લિમ પરિવાર છેલ્લાં 6 વર્ષથી બકરાના ફોટાવાળી કેકને કાપીને કુરબાની સમજી લે છે. હવે આવો જ કિસ્સો હરિયાણાથી સામે આવ્યો છે.

હરિયાણા ઝજ્જરમાં મુસ્લિમ સમાજના કેટલાંક લોકોએ એકબીજાને ખીર અને સેવઇયા વહેંચીને બકરી ઇદ મનાવી હતી. બકરાને કુરબાની ન આપવાનું આ ગામડાંથી શરૂ થયેલું ચલણ હવે શહેર સુધી પહોંચ્યું છે.આમ તો બકરી ઇદના પર્વને ઇસ્લામમાં માનનારા લોકો કુરબાનીના તહેવાર તરીકે ઉજવે છે.

હરિયાણાના ઝજ્જર શહેરની આજુબાજુના ગામમાં રહેતા મુસ્લિમ પરિવાર આ તહેવારના દિવસે બકારાની કુરબાની આપીને નહીં, પરંતુ ખીર અને સેવઇયા બધાને વહેંચે છે અને એ રીતે કુરબાની આપી દીધી એવું માની લે છે. વર્ષો પહેલાં એક ગામથી શરૂ થયેલી આ પરંપરા ધીમે ધીમે બીજા ગામો અને હવે શહેરો સુધી શરૂ થઇ ગઇ છે. આ વખતે તો મસ્જિદના મૌલવીએ પણ લોકોને કહ્યું હતું કે, તમારી ક્ષમતા મુજબ મિઠાઇ બનાવીને આસપાસમાં વહેંચજો.

બકરી ઇદના દિવસે જહાઆંરા બાગ વાળી મસ્જિદમાં મુસ્લિમ સમાજના લોકોએ નમાજ અદા કરી, બધા એકબીજાને ગળે મળ્યા અને પછી ખીર અને સેવૈયાની વહેંચણી કરીને ખુશી વ્યકત કરી. મૌલવી આબિદ હુસૈને કહ્યું કે ઝજ્જરમાં બકરાની કુરબાનીનો કોઇ રિવાજ નથી. લોકો મિઠાઇ બનાવીને મિત્રો, સ્વજનો વચ્ચે વહેંચે છે. તેમણે કહ્યું કે ઇદ પર કુરબાની નથી હોતી, માત્ર નમાજ અદા કરવામાં આવે છે. આબિદ હુસેને કહ્યું કે, અલ્લાહે કુરાનમાં કહ્યું છે કે નથી મારી માંસે માંસ પહોંચતું કે નથી પહોંચતું લોહી. હું તો તમને માત્ર અજમાવું છું. એટલે ઝજ્જરમાં બકરી ઇદ પર કુરબાનીની પરંપરા અમે બંધ કરી દીધી છે.

ઝજ્જરના નજીકના ગામમાં રહેતા અબ્દુલ ગફારે કહ્યું કે અહીં તેમના 9 ઘર છે જે એક જ ખાનદાનના છે. અહીં વર્ષો પહેલા કુરબાનીની પરંપરાને ખતમ કરી નાંખવામાં આવી હતી તેમણે કહ્યું કે ગામમાં કોઇ પણ પ્રકારનો ભેદભાવ ન રહે તેના માટે આ પરંપરા શરૂ કરવામાં આવી છે

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.