કલેક્ટરે મંદિરને સીલ મારી દીધું, કારણ હતું દલિતોને પ્રવેશ...

મંદિરોમાં દલિતાનો પ્રવેશ પર બબાલ થઇ હોવાના અનેક મામલા તમે જોયા હશે કે સાંભળ્યા હશે. પરંતુ તમિલનાડુની એક ઘટના થોડી અલગ છે. અહીં એક મંદિરમાં દલિતોના પ્રવેશને લઇને એવો વિવાદ ઉભો થયો કે જેને કારણે મંદિરને જ સીલ મારી દેવામાં આવ્યું. આ મામલો તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાનો છે. અહીંના મેલપાડી વિસ્તારમાં દ્રોપદી અમ્મન મંદિર છે, જેને સીલ મારી દેવામાં આવ્યું છે. 7 જૂને કલેકટરે કાયદો વ્યવસ્થા બગડવાની આશંકાએ મંદિરને સીલ મારવાન નિર્ણય લીધો હતો.

મંદિરમાં પ્રવેશને લઈને કથિત ઉચ્ચ જાતિ અને દલિતો વચ્ચેના વિવાદ બાદ આવું કરવામાં આવ્યું છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

દ્રોપદી અમ્મન મંદિર છેલ્લાં 45 વર્ષથી હિંદુ ધાર્મિક અને ચેરીટેબલ સંસ્થા દ્રારા ચલાવવામાં આવે છે. મંદિરના સંચાલકો અને અન્ય શ્રધ્ધાળુઓને દલિતોના મંદિરમાં પ્રવેશ સામે વાંધો છે. પહેલા મામલો ઉકેલવા માટે, ગ્રામ પંચાયતના વડાઓ, પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રે બંને પક્ષોને શાંતિપૂર્ણ રીતે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. જે બાદ જિલ્લા પ્રશાસને આ પગલું ભર્યું હતું.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ વર્ષના એપ્રિલ મહિનામાં દલિત સમાજના એક વ્યકિતએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. જેની સામે ઉચ્ચ જાતિના લોકોએ નારાજગી દર્શાવી હતી. એ પછી દલિતોને મંદિરમાં આવતા અટકાવવામાં આવ્યા હતા. ત્યારથી આ બંને વર્ગો વચ્ચે મતભેદો ચાલી રહ્યા છે. આ મામલામાં ઓછામાં ઓછી 4 FIR થઇ ચૂકી છે.

મંદિર પર એક નોટીસ લગાવવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે જ્યા સુધી ઉકેલ નહીં આવે ત્યાર સુધી બંને વર્ગ મંદિરમાં પ્રવેશ કરી શકે નહી. ગામમાં બે વર્ગ વચ્ચે પૂજા-પાઠની સમસ્યાને કારણે અસામન્ય હાલત બની ગઇ છે. જેને કારણે કાયદો વ્યવસ્થા બગડી શકે છે.

તાજેતરમાં વિલ્લુપુરમના સાંસદ અને ડીએમકેના નેતા ડી રવિકુમારે સ્થાનિક વહીવટીતંત્ર સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો. 5 જૂન, સોમવારે તેઓ પાર્ટીના અન્ય નેતાઓ સાથે જિલ્લા કલેક્ટર સી પલાની પાસે પહોંચ્યા હતા. ત્યાં તેમણે અધિકારીને એક મેમોરેન્ડમ સુપરત કરીને વિનંતી કરી કે તમામ ભક્તોને કોઈપણ જાતિના પક્ષપાત વિના મંદિરની અંદર જવાની મંજૂરી આપવી જોઈએ. જો કે, આનાથી પણ મામલો ઉકેલાયો ન હતો અને હવે મંદિરના દરવાજાને તાળું મારી દેવામાં આવ્યું છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.