ન્યૂ યરની ઉજવણી મુસલમાનો માટે હરામ છે: રઝા એકેડમી પ્રમુખ સઇદ નૂરી

આમ તો નવા વર્ષ 2023નું સ્વાગત થઇ ચૂક્યું છે અને નવા વર્ષને વધાવતી ઉજવણીઓ પણ થઇ ચૂકી છે, પરંતુ મુંબઇની રઝા એકેડમીના પ્રમુખનો થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે સંદેશો આપતો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. રઝા એકેડમીના પ્રમુખ સઇદ નૂરી વીડિયોમાં મુસ્લિમ યુવાનોને થર્ટી ફર્સ્ટની ઉજવણીથી દુર રહેવા અપીલ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે ન્યૂ યરની ઉજવણી મુસલમાનો માટે હરામ છે.

રઝા એકેડમી મુંબઇના પ્રમુખ સઇદ નૂરીએ વીડિયો સંદેશમાં મુસલમાનોને કહ્યું છે કે થર્ટી ફર્સ્ટના દિવસે શૈતાની ખુરાફતથી દુર રહેજો. આ એવી ખુરાફાત હોય છે જેને જોઇને શેતાન પણ શરમાઇ જાય છે. એટલા માટે આવી અશ્લીલ હરકતોથી દુર રહેજો. આવા સમયે મસ્જિદ કે દરગાહ પર જઇને નમાઝ અદા કરજો

સઇદ નૂરીએ ટવીટ કરીને કહ્યું કે, તે અફસોસની વાત છે કે લોકો વર્ષની છેલ્લી રાતને થર્ટી ફર્સ્ટ નાઈટ કહે છે. આ રાતે એવી કઈ અભદ્રતા છે, જે આ રાત્રે કરવામાં આવતી નથી. આવા કૃત્યો ખુલ્લેઆમ કરવામાં આવે છે, જેને જોઈને શેતાન પણ શરમાઈ જાય. દરેક ધર્મ, દરેક જાતિ અને દરેક વયના લોકો આવા ગેરકાયદેસર અને હરામ કાર્યોમાં સામેલ થતા હોય છે.

મુસ્લિમ યુવાનો આવી પ્રવૃત્તિઓમાં વધુ રસ લેતા થયા છે. જો અત્યારે પણ આપણે બધા નિષ્કલંક નહીં બનીએ અને આપણી જાતિ અને આપણા સમુદાયને આ બેશરમીના શેતાની કૃત્યથી બચાવીશું નહીં, તો તેનું નુકસાન ખૂબ મોટું થશે, જે પછીથી ભરવું અશક્ય હશે.

નૂરીએ મુસ્લિમોને તેમના બાળકો પર નજર રાખવા કહ્યું. તેમણે કહ્યું કે યુવાનોને બેશરમી અને અશ્લીલતાથી રોકો. તેમને આવી મહેફિલના નુકસાનથી બચાવો. નૂરીએ કહ્યુ કે, રઝા એકેડમી અપીલ કરે છે કે થર્ટી ફર્સ્ટની રાત્રે મસ્જિદો આખી રાત ખુલી રાખવામાં આવે, અઝાન કરવામાં આવે અને નમાઝ અદા કરવામાં આવે

.

માત્ર મુસલમાન જ થર્ટી ફર્સ્ટ કે ન્યૂ યરની ઉજવણીનો વિરોધ કરે છે એવું નથી, પરંતુ વિશ્વ હિંદુ પરિષદ પણ ન્યૂ યરની ઉજવણી શાંતા કલોઝનો વિરોધ કરે છે.

જો કે દુનિયાભરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી રંગેચંગે પુરી થઇ અને નવા વર્ષના વધામણાં પછી લોકો કામે પણ લાગી ગયા છે.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.