ઓમકારેશ્વર મંદિરમાં પૂજારીઓએ શ્રદ્ધાળુની પિટાઇ કરી, પૈસા લઈ પહેલા દર્શન...

દેશના મુખ્ય 12 જ્યોર્તિલીંગોમાના એક ઓમકારેશ્વર મંદિરમાં એક અપ્રિય ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મંદિરના પુજારી અને કર્મચારી કોઇ શ્રદ્ધાળુને મંદિર પરિસરમાં જ પિટાઇ કરતા જોવા મળી રહ્યા છે. આ ઘટનામાં પોલીસની હાજરી બની છે. આ ઘટનાને કારણે શ્રદ્ધાળુઓમાં ગુસ્સો ફાટી નિકળ્યો છે. શ્રદ્ધાળુઓનો આરોપ હતો કે મંદિરના પુજારી કેટલાંક ભક્તો પાસેથી પૈસા લઇને પહેલા દર્શનની સુવિધા કરાવી આપતા હતા.જ્યારે બાકીના શ્રદ્ધાળુઓ તો કલાકોથી લાઇનમાં ઉભા હતા. બીજી તરફ પુજારીઓનું કહેવું છે કે એક વ્યકિત મંદિરમાં અભદ્ર વહેવાર કરતો હતો, જેને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હતું.

આ દિવસોમાં ખંડવા જિલ્લાના  ઓમકારેશ્વર જ્યોતિર્લિંગમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. અહીં કોઈ પર્વ કે તહેવાર ન હોવા છતાં દરરોજ એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ અહીં આવી રહ્યા છે. ઓમકારેશ્વરના પંડિતો પોતે આશ્ચર્યચકિત છે કે અચાનક મુલાકાતીઓની સંખ્યા આટલી કેવી રીતે વધી ગઈ? બીજી તરફ ઓમકારેશ્વરનો પુલ લગભગ બે મહિનાથી બંધ છે જેના કારણે જુના પુલ પર જ ઘણી ભીડ જોવા મળે છે. મંદિરમાં દર્શનાર્થીઓ પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે.

જલ્દી દર્શન કરવાની હોડમાં ઘણી વખત આ મંદિરમાં વિવાદ ઉભો થતો રહે છે. શનિવારે પણ આ જ સ્થિતિ ઉદભવી હતી. જ્યારે એક શ્રદ્ધાળુએ પંડિતો પર આરોપ લગાવ્યો કે તમે ભેદભાવ કરી રહ્યા છો. લોકો કલાકોથી લાઇનમાં ઉભા છે અને તમે પૈસા લઇને લોકોને પાછલા દરવાજેથી પ્રવેશ આપી રહ્યા છો. આ વિવાદ એટલો વણસ્યો કે વાત મારપીટ સુધી પહોંચી ગઇ હતી. પોલીસની મધ્યસ્થીને કારણે વિવાદ વધારે વકરતા અટકી ગયો હતો. પોલીસે આ મામલામાં કોઇ ફરિયાદ નોંધી નથી.

મંદિરના પૂજારીઓનું કહેવું છે કે ભક્તએ પોતે જ એક કર્મચારીનો કોલર પકડીને આ વિવાદ શરૂ કર્યો હતો. તેની પ્રતિક્રિયા આ ઘટનાના રૂપમાં સામે આવી છે. કલેક્ટર અનૂપ કુમાર સિંહનું કહેવું છે કે ઉજ્જૈનમાં મહાકાલ લોકના લોકાપર્ણ બાદ બાદ ઓમકારેશ્વરમાં પણ ભક્તોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. અમે ગર્ભગૃહને મોટું કરવાની દરખાસ્ત પણ કરી છે. આ દરમિયાન VIP દર્શનની વ્યવસ્થા બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. અમારો પ્રયાસ છે કે અહીં દરેક વ્યક્તિ સરળતાથી દર્શન કરી

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.