રાશિ અનુસાર આ રંગોથી રમો હોળી, મળશે ગુડલક

હિંદુ ધર્મમાં હોળી પર્વનું વિશેષ મહત્ત્વ હોય છે. હોળીનો તહેવાર ફાગણ મહિનામાં સુદ પક્ષમાં આવે છે. એવામાં લોકોના મનમાં ઘણા સવાલો આવે છે કે, જેમા મુખ્ય સવાલ એ છે કે, કઈ રાશિના લોકોએ કયા રંગથી હોળી રમવી જોઈએ જેથી તેમને શુભ ફળ મળે. જ્યોતિષ શાસ્ત્રમાં દરેક રાશિ માટે એક શુભ રંગ નક્કી કરવામાં આવ્યો છે. સાથે જ દિવસ અનુસાર પણ રંગો નક્કી કરવામાં આવ્યા છે. તમારા શુભ રંગ અનુસાર જો કપડાં પહેરવામાં આવે તેમજ જો હોળી પર તમે આ રંગનો પ્રયોગ કરશો તો નિશ્ચિતરૂપે જ તમને આખુ વર્ષ ગુડલક મળશે.

મેષ અને વૃશ્ચિક રાશિ

મેષ અને વૃશ્ચિક રાશિ પર મંગળનું શાસન હોય છે અને મંગળનો રંગ લાલ હોય છે. આથી, આ રાશિના જાતકોએ લાલ રંગથી હોળી રમવી જોઈએ.

વૃષભ અને તુલા રાશિ

વૃષભ અને તુલા રાશિનો સ્વામી શુક્ર હોય છે. આ ગ્રહ શાંતિ પ્રિય હોય છે. આ રાશિના જાતકો માટે સફેદ અથવા ગુલાબી રંગથી હોળી રમવી ઉત્તમ રહેશે.

કન્યા અને મિથુન રાશિ

કન્યા તેમજ મિથુન રાશિ માટે લીલો રંગ શુભ હોય છે. આ બંને રાશિઓનો સ્વામી બુધ હોય છે. આ લોકો લીલા, નારંગી અથવા પીળા રંગથી હોળી રમી શકે છે.

મકર અને કુંભ રાશિ

શનિ, મકર તેમજ કુંભ રાશિનો સ્વામી હોય છે. કાળો અને ભૂરો રંગ તેમના માટે શુભ હોય છે. આથી, તમારે કાળા, ભૂરા અથવા જાબુંડિયા રંગથી હોળી રમવી જોઈએ.

ધન અને મીન રાશિ

ધન તેમજ મીન રાશિનો સ્વામી ગુરુ છે. તેનો સંબંધ વિષ્ણુ ભગવાન સાથે છે. વિષ્ણુજીનો પ્રિય રંગ કેસરી તેમજ પીળો છે. આથી, તમે આ રંગોથી હોળી રમી શકો છો.

કર્ક રાશિ

કર્ક રાશિનો સ્વામી ચંદ્રમા છે અને આ રાશિના જાતકોનો શુભ રંગ સફેદ છે. આથી, આ કર્ક રાશિના જાતકો માટે સફેદ અથવા ચમકીલા રંગથી હોળી રમવી શુભફળ આપનારી સાબિત થઈ શકે છે.

સિંહ રાશિ

ગ્રહોના રાજા સૂર્ય સિંહ રાશિના સ્વામી હોય છે. આ રાશિના જાતકો જો લાલ, નારંગી અથવા પીળા રંગથી હોળી રમે તો ખૂબ જ શુભ થશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.